રથયાત્રા સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે, મંદિર પરિસરમાં દર્શન માટે રથ મુકાશે અને રથયાત્રા નિજમંદિરમાં જ થશે. લોકો ઘરે બેસી રથયાત્રાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાશે. ત્યારે આ બેઠક બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી હતી.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા મુદ્દે CM રૂપાણીનુ ટ્વિટ
મંદિરના ટ્રસ્ટી મંડળના નિર્ણયને આવકારુ છું
કોરોનાને લઈને ટ્રસ્ટી મંડળે જે નિર્ણય કર્યો તેને આવકારુ છું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મહંતશ્રી દિલીપદાસજી મહારાજ અને મંદિર ટ્રસ્ટીઓએ લાખો ભાવિક ભક્તોની પ્રવર્તમાન સમયની આરોગ્ય સુખાકારીને ધ્યાને લઈને કરેલા આ સ્તુત્ય નિર્ણય માટે અભિનંદન પાઠવું છું.
ટ્વીટમાં વધુમાં લખ્યું હતું કે, આ સાથે જ અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા અંગે આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિમાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મંડળે જે સમયોચિત નિર્ણય કર્યો છે તેને આવકારું છું.
142 વર્ષ જૂની પરંપરા તૂટી
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની 142 વર્ષની પરંપરા તૂટી છે. ઈતિહાસમાં પહેલીવાર ભગવાનનો રથ મંદિરની બહાર નહીં જાય. રથને માત્ર મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે. કોરોના મહામારીને કારણે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે.
મહંતશ્રી દિલીપદાસજી મહારાજ અને મંદિર ટ્રસ્ટીઓએ લાખો ભાવિક ભક્તોની પ્રવર્તમાન સમયની આરોગ્ય સુખાકારીને ધ્યાને લઈને કરેલા આ સ્તુત્ય નિર્ણય માટે અભિનંદન પાઠવું છું.
જે બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ડીજીપી શિવાનંદ ઝા, અમદાવાદ સીપી સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઈ હતી.બેઠક બાદ જગન્નાથ મંદિરનાં મંહત દિલીપદાસજીએ ભાવુક થઈને જણાવ્યું કે, આ વખતે મંદિર રથયાત્રા કાઢશે નહીં.
લોકો ઘરે બેસીને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે
માત્ર મંદિરમાં પૂજા અને અર્ચના કરવામાં આવશે. લોકો ઘરે બેસીને દર્શન કરે. ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે. અષાઢી બીજના દિવસે મંગળા આરતી અને પહિંદ વિધિ કરવામાં આવશે. અને રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવશે. રથયાત્રા રદ કરવાના નિર્ણય કહેતાં મહંત દિલીપદાસજી ભાવુક થઈ ગયા હતા.
મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી
આ વર્ષે ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે. બીજના દિવસે રથયાત્રા પૂર્વે સવારે 4 વાગે મંગળા આરતી કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે મંગળા આરતીમાં ભાગ લેશે.