ગુજરાતમાં આવતી કાલે નીકળનારી રથયાત્રા પર હાઇકોર્ટે રોક લગાવી છે. ત્યારે આજે મંદિર ખાતે ભગવાન જગન્નાથના સોનાવેશ દર્શન થયા. ઉલ્લેખનીય છે કે વર્ષમાં એક જ વખત ભગવાનના સોનાના વસ્ત્રો સાથે દર્શન થાય છે. જ્યારે બીજી તરફ મંદિરના પ્રાંગણમાં 11 ગજરાજનું આગમન થયું છે. આ સાથે શહેરની પોલીસ દ્વારા સુરક્ષાને લઇને રિહર્સલ પણ કરવામાં આવ્યું.
અમદાવાદની રથયાત્રા માટે તૈયારીઓ
સોનાવેશના આજે ભક્તો કરી શકે છે દર્શન
11 ગજરાજોનું મંદિરના પ્રાંગણમાં આગમન
ભગવાન જગન્નાથજીએ સોનાવેશના દર્શન આપ્યાં
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથને સોનાના વસ્ત્રો પહેરાવવામાં આવ્યાછે. લોકોને આજે ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન થઈ શકે છે. વર્ષમાં માત્ર એક જ વખત ભગવાનના સોનાના વસ્ત્રો સાથે દર્શન થતા હોય છે. કોરોના સંક્રમણને લઈને ભક્તોના પ્રવેશ પર મંદિરમાં પ્રતિબંધ છે. ત્યારે મંદિરના મહંતોએ ટીવીના માધ્યમથી લોકોને ઘરમાં રહીને દર્શન કરવાની અપીલ કરી છે.
11 ગજરાજોનું મંદિરના પ્રાંગણમાં આગમન
બીજી તરફ રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં 11 ગજરાજોનું આગમન થયું. ત્રણ ગજરાજોને આસામમાંથી લાવવામાં આવ્યા છે. આસામથી લાવવામાં આવેલા ગજરાજોને બલરામ, જાનકી, સુભદ્રા નામ રખાયુ છે. આ ઉપરાંત ત્રણેય રથોને ખલાસીઓ દ્વારા મંદિરના પ્રાગણમાં મુકવામાં આવ્યા છે. ત્રણેય રથોની આજે બપોરે 3 વાગ્યે કોંગ્રેસના નેતાઓ દ્વારા પૂજા કરવામાં આવશે.
અમદાવાદમાં રથયાત્રાની 142 વર્ષની પરંપરા તૂટી
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની 142 વર્ષની પરંપરા તૂટી છે. ઈતિહાસમાં પહેલીવાર ભગવાનનો રથ મંદિરની બહાર જશે નહીં. આ વર્ષે નાથ નગરયાત્રા નિજ મંદિરના પ્રાંગણમાં જ કરશે. ત્રણેય રથોને ખલાસીઓ દ્વારા મંદિરના પ્રાગણમાં મુકવામાં આવ્યા છે. ત્રણેય રથોની 3 વાગ્યે પૂજા કરવામાં આવશે.
અમદાવાદ ખાતે મંદિરમાં પોલીસે બંદોબસ્તનું રિહર્સલ કર્યું
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મીં રથયાત્રા નિકળવાની છે. આ વર્ષે રથયાત્રા મંદિરના પ્રાંગણમાં જ ફરશે. મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે હવે મંદિરમાં પોલીસ બંદોબસ્તનું રિબર્સલ કરાયું છે. મંદિરને બેરિકેટથી કોર્ડન કરવામાં આવ્યુ છે. મંદિરમાં દર્શન માટે બેરેક પણ બનાવાયા છે.