હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી.. જન્માષ્ટમી એટલે કે ગોકુળ આઠમને આડે હવે 2 દિવસ બાકી છે ત્યારે જનમાષ્ટમીને લઈને મોટા સામાચારા સામે આવ્યા છે. આવો જાણીએ આ વખતે કેવી રીતે થશે જનમાષ્ટમીની ઉજવણી
જન્માષ્ટમીને લઇને મોટા સમાચાર
ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તૈયારી
ઓનલાઇન દર્શન કરવા અપીલ
દ્વારકા મંદિર બંધ
રણછોડ રાયના નીજમંદિરે આ વખતે ભક્તો માટે ઈતિહાસમાં પ્રથમવાર બંધ રહેશે. આ વખતની ગોકુળ આઠમ ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે. ડાકોરના ઠાકોર પણ આ જનમાષ્ટમીએ ભક્તોને નહીમ મળે કોરોનાને કારણે આ મંદિર પણ બંધ રાખવામાં આવ્યું છે.
અમદાવાદ ઈસ્કોનમાં ઓનલાઈન ઉજવણી
રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વધતા કોરોનાના કહેર વચ્ચે જન્માષ્ટમીને લઇને મોટા સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પરંતુ ભક્તોને ઘરેબેઠા ઓનલાઇન દર્શન કરવા અપીલ કરવામાં આવી છે. ભક્તો ઘરેબેઠા દર્શન કરી શકે તે માટે ઓનલાઇન દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે. જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી સાદગીપૂર્વક થશે. ઇસ્કોન, જગન્નાથજી મંદિરમાં જન્માષ્ટમી સાદાઈથી ઉજવાશે. કલ્યાણપુષ્ટિ હવેલીમાં સાદાઈથી જન્માષ્ટમી ઉજવાશે.
લોક મેળા પણ કેન્સલ
આ વખતે સરકારે પણ કોઈ પણ તહેવાર ઉજવવા પર પ્રતિબંદ મૂકી દીધો છે. કોરોનાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેને પગલે સૌરાષ્ટ્રમાં 50 વર્ષ બાદ તમામ લોકમેળા કેન્સલ રહેશે.