માનસિક અને શારિરીક રીતે અશક્ત પરંતુ મનોબળ મક્કમ, સેરેબ્રલ પાલ્સીથી પીડાતા ઓમએ ધાર્મિક સ્લોકો અને પુસ્તકો કંઠસ્થ કર્યા
ઓમ સિદ્ધીની વિશ્વએ લીધી નોંધ
શ્રીમદ્ ભગવદ્ ગીતા ઓમને છે કંઠસ્થ
અનેક રેકોર્ડ પોતાના નામે નોંધાવી ચૂક્યો છે ઓમ
જો મન મક્કમ હોય તો કોઈપણ પ્રકારના પડકારો વચ્ચેથી પણ સિદ્ધિ હાંસિલ કરી શકાય છે..આજે એક એવા બાળક વિશે વાત કરવી છે. જે સેરેબલ પાલ્સી નામની ગંભીર બીમારીથી પીડિત છે. અને આ રોગની કોઈ દવા નથી. પરંતુ માનસિક અને શારીરિક રીતે પીડિત હોવા છતાં આ 15 વર્ષના બાળકે અનોખી સિદ્ધી હાંસીલ કરી છે.
સેરેબ્રલ પાલ્સીની બીમારીથી છે પીડિત
'ૐ' શબ્દને હિન્દૂ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને ધાર્મિક માનવામાં આવે છે. હિન્દૂ ધર્મ અને શાસ્ત્રમાં કંઇ પણ 'ૐ' શબ્દ વગર અધૂરું માનવામાં આવે છે. ત્યારે આજે આપણે એક એવા બાળકની વાત કરી રહ્યા છીએ જેનું નામ જ ઓમ છે. અને તેના રોમ-રોમમાં ઓમ વશે છે. ગુજરાતના 15 વર્ષના ઓમની સાથે આજે અમે મુલાકાત કરી. જે ખુબ ગંભીર બીમારી એટલે કે, સેરેબ્રલ પાલ્સીથી પીડિત છે. ઓમ શારિરીક અને માનસિક રીતે બીમાર છે. પરંતુ મજબૂત મનોબળ ધરવાતા ઓમને આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 18 અધ્યાય, રામાયણ ચોપાઈ અને શિવતાંડવ સંપૂર્ણ રીતે કંઠસ્થ છે. તમને કદાચ અમારી વાતો પર વિશ્વાસ ન હોય તો ખુદ સાંભળી લો.
સુજોક થેરાપીના કારણે મળી નવી દીશા
આપને અહીં જણાવી દઈએ કે, અમદાવાદના ઈસનપુરમાં રહેતા ઓમને નાનપણથી જ સેરેબ્રલ પાલ્સીની બીમારી છે. પરંતુ હાલમાં ઓમ સામાન્ય બાળક કરતા કાંઈક અલગ પ્રતિભા ધરાવે છે. તે માનસિક અને શારિરીક રીતે અશક્ત છે. પરંતુ નાનપણથી જ ધાર્મિક રુચિ ધરાવતો હોવાથી તેને અનેક ધાર્મિક પુસ્તકો અને તેના સ્લોકો કંઠસ્થ છે. ખાસ વાત તો એ છે કે, ઓમ જે રીતે આજે ધાર્મિક સ્લોકો અને પુસ્તકોને કંઠસ્થ કરી રહ્યો છે તે બધું સુજોક થેરાપીના કારણે શક્ય બન્યું છે. ત્યારે આ થેરાપી શું છે તે જાણવાનો પણ અમે ઓમની માતા અને નિષ્ણાત પાસેથી પ્રયાસ કર્યો,
હજારો બાળકો માટે પ્રેરણા બન્યો છે ઓમ
ઓમ માનસિક અને શારિરીક રીતે ભલે બીમાર છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં તેણે લિમ્કા બૂક ઓફ રેકોર્ડ,એશિયા બુક ઓફ રેકોર્ડ,ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ,ગોલ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ,જેવા અનેક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. ઓમ આજે તેના જેવા અનેક બાળકો માટે એક પ્રેરણા છે બન્યો છે.. કે જો હિંમત છે તો કોઈપણ બીમારી સામે જંગ જીતી સમાજમાં પોતાની એક અલગ ઓળખ સ્થાપિત કરી શકાય છે.