અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.લાલ દરવાજા વિસ્તારમાં રોડ પર વાહન ઉભું રાખનાર વાહન ચાલકો પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે. અસામાજિક તત્વો કાર ચાલક પાસેથી 150થી 200 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલે છે.
મહત્વનું છે કે અહીં AMC દ્વારા કોઈ પણ પ્રકારનું પે પાર્કિંગ ફાળવાયું નથી. જેથી લાલદરવાજામાં ખરીદી કરવા માટે આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે અહીં સવાલ એ છે કે પોલીસ આ મામલે ચૂપ કેમ છે ?. અસામાજિક તત્વોને પાર્કિંગ ચાર્જ વસૂલવાની મંજૂરી કોણે આપી.
ઉલ્લેખનીય છે કે રોડ પર વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. તો પોલીસ દ્વારા અહીં ટ્રાફિક ડ્રાઈવ કેમ નથી કરવામાં આવતી.? શું પાર્કિંગ ચાર્જ વસૂલનારા અસામાજિક તત્વો પાસેથી પોલીસ હપ્તા વસુલે છે ?. જો તેમ ન હોય તો અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે ?