ગુજરાતમાં હાલ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કોરોના સંક્રમિત દર્દીઓ અમદાવાદ અને સુરતમાં જોવા મળ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના સંક્રમણ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં શહેરની હોસ્પિટલમાં કોવિડ બેડ હાઉસફુલ જોવા મળ્યાં છે.
અમદાવાદમાં કોરોનાના સંક્રમણ મુદ્દે મોટા સમાચાર
અમદાવાદમાં હોસ્પિટલમાં કોવિડ બેડ હાઉસફૂલ
શહેરમાં ICU વીથ વેન્ટિલેટરના માત્ર 15 બેડ ખાલી
અમદાવાદ શહેરમાં કોરોનનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇને શહેરની હોસ્પિટલોમાં કોવિડ બેડ હાઉસફુલ જોવા મળી રહ્યાં છે. શહેરમાં ICU વીથ વેન્ટિલેટરના માત્ર 15 બેડ ખાલી હોવાની વિગત જોવા મળી છે. મોટી ખાનગી હોસ્પિટલમાં બેડ હાઉસફુલ જોવા મળ્યાં છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ આઇસોલેશનના 118 બેડ ખાલી છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં 1202 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.
કોરોના વાયરસના નવા કેસની સામે ગઇકાલે 1302 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,85,0558 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14529 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 90.93 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 70,820 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,551,609 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં છેલ્લા 6 દિવસ દરમિયાન 1500થી વધુ કેસ નોંધાયા હતા.
અમદાવાદ જિલ્લામાં 361 કેસ આવતા ચિંતા વધી
આજે અમદાવાદ શહેરમાં 337, અમદાવાદ જિલ્લામાં 24, સુરત શહેરમાં 231, સુરત જિલ્લામાં 58, વડોદરા શહેરમાં 140, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 87, રાજકોટ જિલ્લામાં 51,ગાંધીનગર શહેરમાં 34, ગાંધીનગર જિલ્લામાં 36 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. છેલ્લા 5 દિવસ દરમિયાન આ બંન્ને શહેરોમાં 1700થી વધુ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર વધુ એલર્ટ થયું છે.