અમદાવાદમાં સ્વસ્છતા અભિયાનની સાથે મહાનગર પાલીકાએ હેરિટેજ વારસો બચાવવાની પહેલ શરૂ કરી. કોટ વિસ્તારમા આવતા હેરીટેજ બિલ્ડીંગની જાળવણીની સાથે કોમર્શિયલ બિલ્ડીંગને દૂર કરવાનુ બીંડુ ઉઠાવ્યું હતું. એએમસીએ આઠ બિલ્ડીંગને સીલ કરીને તેના ડિમોલેશનની પ્રકિયા શરૂ કરી.
અમદાવાદની ઓળખ સમાન એવા પોળ વિસ્તારમા હેરિટેજ વારસો છે. દરિયાપુર, કાલુપુર અને ખાડીયા વિસ્તારમા અનેક હેરિટેજ બિલ્ડીંગ છે. જેની જાળવણી રાખવામા તંત્ર ખાડે ગયુ હતું. પરંતુ હવે તંત્રની આંખ ખુલી છે અને તેમણે હેરિટેજ સ્થાપત્યોને સંભવિત નુકસાનને લઇ કાર્યવાહી શરૂ કરી. હેરિટેજ સ્થાપત્યોને નુકસાન થાય તેવી બિલ્ડીંગો પર લાલ આંખ કરી છે. અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા ખાડીયા, કાલુપુર અને દરિયાપુરમા કોમર્શિયલ પ્રોપર્ટી સીલ કરીને હેરિટેજ વારસો બચાવવા માટે નિર્ણય લીધો છે.
અમદાવાદનો હેરિટેજ વારસાને બચાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝુંબેશને રહીશો સ્વીકારી રહ્યા છે. અમદાવાદની ઓળખ સમાન એવા હેરિટેજ વારસાની જાળવણી અને તેમના સમારકામને લઈને તંત્રએ જરૂરી પગલા લેવા રહીશો માની રહ્યા છે. પરંતુ વર્ષોથી હેરિટેજ બિલ્ડીગની નજીક ધંધાકીય પ્રવૃતી કરી રહેલા લોકો પણ ચિંતીત છે. કારણ કે એએમસી દ્રારા કોમર્શિયલ બિલ્ડીંગને સીલ મારવામા આવતા અનેક ધંધા પડી ભાંગશે. લોકો એએમસીની કાર્યવાહીને સ્વીકારી તો રહ્યા છે. પરંતુ વર્ષો બાદ જાગેલા તંત્રથી રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હેરિટેજ સ્થાપત્યો નજીક મોટા અને ગેરકાયદેસર બાંધકામથી નુકસાન થઈ રહ્યુ છે. જેથી તંત્ર દ્વારા 8 જેટલી કોમર્શિયલ પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામ ધરાવતી ઇમારતો તોડી પડાશે. આ ડિમોલેશનનો ખર્ચ બિલ્ડર્સ પાસેથી વસૂલવામાં આવશે. મહત્વનુ છે કે સ્વચ્છતા અભિયાન બાદ હેરિટેજ વરસોને બચાવવાનું એએમસીનુ મોટુ મીશન માનવામા આવે છે.