રાજ્યમાં પ્રવર્તી રહેલી કોવિડ-19ની પરિસ્થિતિ સંદર્ભે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્યમાં રાત્રીના 9થી સવારના 5 કલાક દરમિયાન કર્ફ્યુનો ચૂસ્તપણે અમલ થઈ રહ્યો છે. આ માર્ગદર્શિકામાં કોન્ટ્રાક્ટ કેરેજ બસોના પરિવહન માટે ફેરફાર કરાયો છે. જેમાં રાત્રીના 9થી 5 દરમિયાન કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન થઈ શકશે. આ અંગે વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીની યાદીમાં જણાવાયુ હતું.
અમદાવાદમાં ભારે વાહનો પર પ્રતિબંધ
કોવિડ-19 અંતર્ગત રાત્રિ કર્ફ્યુ દરમિયાન
કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન રાત્રીના 9થી સવારના 5 દરમિયાન થઈ શકશે
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર સામાન્ય રીતે આયોજિત ટ્રીપોનું સંચાલન સવારના 7થી શરૂ કરી રાત્રિના 8 વાગ્યા સુધી પૂર્ણ થાય તે રીતે કરવાનું રહેશે. રાત્રીના મુસાફરી કરવાના સંજોગો ઊભા થાય ત્યારે તે મુસાફરી રાત્રિના 9 કલાક પહેલાં શરૂ થઈ જાય તે સુનિશ્ચિત કરવાનુ રહેશે. આ સમયગાળા દરમિયાન કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બસ ઓપરેટરે જીપીએસ/જીપીઆરએસ સિસ્ટમ લગાવી આવશ્યક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રના ગૃહ સચિવના પત્રથી સ્પષ્ટતા કરાઈ છે. રાત્રીના 9થી સવારના 5 કલાક દરમિયાન વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવાનો હેતુ લોકો મોટા પ્રમાણમાં એકત્ર ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે છે. આ પ્રતિબંધ ગુડ્ઝ ટ્રકો/વાહનો કે પેસેન્જરની અવરજવર કરતી બસોને તેમજ બસ, ફ્લાઈટ, ટ્રેનની મુસાફરી કરીને આવેલ વ્યક્તિઓને લાગુ પડશે નહીં. જેથી આ પ્રકારના વાહનો તેમજ મુસાફરોની અવરજવર રોકવામાં ન આવે તે બાબતે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપી દેવાય છે તેમ વધુમાં જણાવાયું છે.
લૉકડાઉનના કારણે અમદાવાદનાં પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે ફરીથી વાહનોના અવર-જવરથી પ્રદૂષણમાં વધારો ન થાય તે હેતુથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ શહેરમાં પ્રદૂષણને અટકાવવા અને અકસ્માતોના બનાવોને નિયંત્રિત કરવા માટે શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે.
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ શહેરમાં પ્રદૂષણને અટકાવવા મુક્યો પ્રતિબંધ મુક્યો છે. જો કે 33 કેપેસિટીવાળી મિનિ બસ કે પેસેન્જર વાહનોને શહેરમાં પ્રવેશ મળી શકશે પરંતુ જે ટ્રાન્સપોર્ટ વાહનોનું વજન 7500 કે.જી. સુધી થતું હોય તેવા તમામ લાઈટ ગુડ્સ વ્હીકલ અને ટ્રેક્ટર-ટ્રોલી તેમજ 33થી વધુ પેસેન્જરની ક્ષમતા ધરાવતા તમામ પેસેન્જર વાહનોની અવર-જવર પર શહેરમાં સવારે 8 થી રાતના 10 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.