ઇન્ટરનેશનલ સાયબર સિક્યુરિટી અવેરનેશ મહિનાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું.
અમદાવાદમાં સાયબર સેફ મિશન અંતર્ગત કાર્યક્રમ
"મોબાઈલ ચોરીના 470 કેસ ઉકેલ્યા"
સાયબરક્રાઈમને લઈને સરકાર ગંભીર
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર સેફ મિશન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ બેઠક સાયબર ક્રાઈમના પ્રશ્નો અંગે કરી હતી. આગામી સમયમાં નાગરિકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવામાં આવશે તો રાજ્ય સરકારે સાયબર ક્રાઈમ સામે લડવા માટે થઈને ખાસ બજેટ પણ ફાળવ્યું છે.
સમગ્ર વિશ્વમાં ઓક્ટોબર મહિનાને “સાયબર સિક્યુરિટી અવેરનેસ માસ” તરીકે ઉજવવામાં આવતો હોય છે, ત્યારે આજ રોજ 40 વિવિધ સાયબર ક્રાઇમ બાબતે માહિતગાર કરતી તથા ચિત્રસહ વિવરણ પૂરું પાડતી પુસ્તિકા “સાયબર સેફ ગર્લ”નું માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું. pic.twitter.com/GqekzcFTDk
વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે,સરકાર આ મામલે એટલી ગંભીર છે કે, તમારો મોબાઈલ ચોરી થાય અને CM તમારો મોબાઈલ પરત આપે. તો ગુજરાત પોલીસ પણ કેટલી સક્રિય છે કે, જેણે તમારા મોબાઈલ શોધી કાઢ્યા છે, અત્યાર સુધીમાં મોબાઈલ ચોરીના 470 કેસના ભેદ ઉકેલવામાં આવ્યા છે.
ગાંધીનગરના કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના કાર્યક્રમમાં રહ્યા હાજર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજી અને સાધનો નો મહત્તમ ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ સહિત ના ગુનાઓ ને ઉગતા જ ડામી દેવાની સજ્જતા કેળવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુનો બને પછી તેની તપાસ કરવી અને ગુનેગારો સુધી પહોચવાની જગ્યાએ હવે નવા જમાના અને ટેકનોલોજી ને અનુરૂપ કૌશલ્ય પોલીસ બેડા એ મેળવ્યું છે.
તેમણે કહ્યું કે હવે નો યુગ મોબાઈલ અને ઈન્ટરનેટ તથા સાયબર નો યુગ છે, અને તેના વધતા વ્યાપ સાથે સાયબર ક્રાઇમ કરનારા લોકો પણ મોટા પ્રમાણમાં આવા ગુનાઓ કરી લોકોને છેતરવા, નાણાં હજમ કરી જવા જેવી પ્રવૃતિ આચરતા થયા છે ત્યારે સમાજ માં આવા ગુનાઓ સામે જન જાગૃતિ જગાવવામાં આ સાયબર સેઇફ મિશન એક સક્ષમ માધ્યમ બનશે.