અમદાવાદ: બિન ગુજરાતીઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ હવે મેદાનમાં ઉતર્યા છે. હાર્દિક પટેલે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા જણાવ્યું છે કે રાજ્યની વર્તમાન સ્થિતિ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાબદાર છે. આજે પોલીસ IB બધુ જ ભાજપના કન્ટ્રોલમાં છે.
असामाजिक तत्व गुजरात में मेरे उत्तर भारतीय परिवार को मार पीट करने की धमकी देते है तो तुरंत हमारे हेल्प लाइन नंबर पर फ़ोन करे।यह हिंदुस्तान संविधान से चलता है किसी की मनमानी से नहीं।मेरे देश का संविधान सभी हिंदुस्तानी को किसी भी प्रदेश में रहने का अधिकार देता हैं। अतिथि देवो भव: pic.twitter.com/wrMhd1ZSI4
આપને જણાવી દઇએ કે થોડા સમયગાળા પહેલા હિંમતનગરના ગંભોઇના એક ગામમાં 14 માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બન્યા બાદ ગુજરાતમા્ં વસતા પર પ્રાંતિય લોકોને માર મારવાના બનાવોમાં વધારો થયો છે.
જો કે આ આ પ્રકારની ઘટના બાદ બિન ગુજરાતી લોકોએ ગુજરાત છોડવાનું નક્કી કર્યું છે અને મોટી સંખ્યામાં ગુજરાત બહારથી આવેલા લોકોએ હિજરત કરી છે.
देश में और गुजरात में भाजपा की सरकार हैं।गुजरात में २६ सांसद ९९ विधायक भाजपा के हैं।पुलिस IB और सभी प्रशासनीक विभाग भाजपा के कंट्रोल में हैं।फिर भी भाजपा को जब देखो तब कोंग्रेस के नाम की क़ब्ज़ होती है।गुजरात में जो हुआ हैं उसका ज़िम्मेदार सिर्फ़ और सिर्फ़ सीएम विजय रूपानी हैं।
ત્યારે આ ઘટનામાં પાસ નેતા અને પાટીદાર અગ્રણી હાર્દિક પટેલે પણ ઝંપલાવ્યું હતું અને પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર 2 ટ્વીટ કરીને આ સ્થિતિ માટે રાજ્યના મુખ્યપ્રધાન જવાબદાર હોવાની વાત કરી હતી.
આ સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલે એક પોસ્ટર ટ્વીટ કરીને એક હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે ઉત્તર ભારતના લોકો સાથે કોઇ મારપીટ કે હેરાન કરે તો હેલ્પલાઇન નંબર પર હાર્દિક પટેલનો સંપર્ક કરી શકે છે.