અમદાવાદ: મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળવા મુદ્દે હાર્દિક પટેલે જણાવ્યું કે જો મરાઠાઓને અનામત મળી શકે તો તે જ માર્ગે પાટીદારોને પણ અનામત મળી શકે છે.
ગુજરાત સરકારે આ માટે પાટીદારોનો સર્વે કરવો જોઈએ અને એક કમિટીની રચના કરીને તેના આધારે અનામતની ફોર્મ્યૂલા નક્કી કરવી જોઈએ. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે બે દિવસમાં પાટીદારોની મિટીંગ છે અને ઓબીસી કમિશનમાં આ અંગે રજૂઆત કરીશું.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળવા મુદ્દે પાટીદાર અગ્રણી અને પાસના નેતા હાર્દિક પટેલ ફરીવાર સક્રિયા થયાં છે. આ સાથે જ તેમણે આજરોજ એક નિવેદન આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. હાર્દિક પટેલ પોતાના નિવેદનમાં જણાવ્યં કે ગુજરાત સરકારે આ માટે પાટીદારોનો સર્વે કરવો જોઈએ અને એક કમિટીની રચના કરીને તેના આધારે અનામતની ફોર્મ્યૂલા નક્કી કરવી જોઈએ.
આપને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં કેબિનેટની બેઠક બાદ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મરાઠાઓને અનામત આપવા મહારાષ્ટ્ર સરકાર કટિબદ્ધ છે.
મરાઠાઓને સામાજિક અને શૈક્ષણિક આધારે અનામત આપવા અંગે કેબિનેટમાં સર્વાનુમતે સહમતિ સાધવામાં આવી છે. મરાઠા સમાજને 16 ટકા અનામતનો ક્વોટા આપવાનું મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ટ ક્લાસીસ કમિશન દ્વારા સૂચન કરવામાં આવેલ છે.