અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશનમાં રીક્ષા ચાલકોને પ્રવેશ માટે હાઈકોર્ટે મંજૂરી આપી છે. અગાઉ ઓટો રીક્ષાને રેલવે પરિસરમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકાયો હતો.
રીક્ષા ચાલકો માટે રાહતના સમાચાર
રેલવે પરિસરમાં પ્રવેશ માટે HC એ આપી મંજૂરી
નિયમોનું કરવું પડશે પાલન
જો કે, આ મામલે ઓટો રીક્ષા ચાલક યુનિયનને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે.
રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ
હાઈકોર્ટના નિર્ણય મુજબ રીક્ષા ચાલકો 10 મિનિટ સુધીના સમયગાળામાં પાર્કિંગ કરી શકશે અને ત્યારબાદ તેઓ ફરીથી રી-એન્ટ્રી લઇ શકશે. આમ, હાઈકોર્ટે રેલવે સ્ટેશનમાં 10 મિનિટ માટે પ્રવેશની મંજૂરી આપતા રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ છે.
રીક્ષા ચાલકોએ હાઈકોર્ટનો આભાર માન્યો
હાઈકોર્ટે આપેલી રાહતથી રીક્ષા ચાલકોએ હાઈકોર્ટનો આભાર માન્યો હતો. સાથે જ સમય વધારવાની અપીલ પણ કરી છે. આપને જણાવી દઈએ કે, કોરોનાની મહામારીમાં રીક્ષા ચાલકોને રેલવે પરિસરમાં પ્રવેશ ન મળતા મુસાફરો અને રીક્ષા ચાલકોની મુશ્કેલી વધી હતી.