2002ના નરોડા પાટિયા કેસમાં ચુકાદો આવ્યો છે. જેમાં ભાજપના નેતા માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. માયા કોડનાનીને તમામ કેષમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. તેની બાબુ વણઝરાને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બાબુ બજરંગી સહિત ત્રણ આરોપીને ષડયંત્રકારી માનવામાં આવ્યા છે. બાબુ બજરંગીની સજાને યથાવત રાખવામાં આવી છે. બાબુ બજરંગીને મૃત્યુ પર્યત કેદની સજા ફરમાવવામાં આવી હતી.
કોર્ટના આદેશમાં રસ્તા અને ચાલીના બનાવને અલગ-અલગ રીતે જોવામાં આવ્યું. સ્ટિંગ ઓપરેશનના પુરાવાઓને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા. માયાબેન કોડનાનીને બેનિફિટ ઓફ ડાઉટના આધારે નિર્દોષ જાહેર કરાયા
16 વર્ષ અગાઉ 28 ફેબ્રુઆરી 2002માં અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટા હત્યાકાંડમાં 97 લોકએ જીવ ગુમાવ્યા હતા. અત્યાર સુધી મળતા અહેવાલ મુજબ કોર્ટે ચુકાદો આપ્યો છે.