દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ લોકોડાઉનના પગલે ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે લોકડાઉનમાં આંશિક છૂટછાટના પગલે ફરી ટ્રાન્સપોર્ટેશનને કન્ટેનમેન્ટ ઝોનને ધ્યાનમાં લઇને શરૂ કરવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં આવેલ ગીતા મંદિર ST બસ ડેપો અંદાજે 3 મહિના બાદ આજથી ફરી શરૂ કરવામાં આવ્યો છે. આ અગાઉ અનલોક-1 સુધી પ્રતિબંધિત વિસ્તારમાં આવતું હોવાથી બંધ રાખવામાં આવ્યું હતું.
3 મહિના બાદ ગીતામંદિર ST બસ ડેપો શરૂ
અનલોક-2માં ગીતા મંદિર ડેપોને ખોલવાની મંજૂરી
સૌરાષ્ટ્ર સિવાયના તમામ રૂટ ગીતા મંદિરથી શરૂ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી પહેલા આંતરિક જિલ્લામાં એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર કોરોના સંકટ વચ્ચે રાજ્યભરમાં એસટી સેવા શરૂ કરાઇ હતી.
જો અમદાવાદ શહેરમાં આવેલ ગીતા મંદિર ST બસ ડેપો અંદાજે 3 મહિનાથી પ્રતિબંધિત વિસ્તારમાં હોવાથી બંધ રાખવામાં આવ્યું હતું. જો કે આજથી અનલોક-2માં ગીતા મંદિર ST બસ ડેપો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
આમ 3 મહિના બાદ ગીતા મંદિર ST બસ ડેપો શરૂ થતાં જુદા-જુદા રૂટ પર બસ દોડશે. જો કે હજુ પણ ગીતા મંદિર ST બસ ડેપોથી સૌરાષ્ટ્ર સિવાયના તમામ રૂટ પરની બસ મળશે.
મહત્વનું છે કે, ગઇકાલથી અમદાવાદ સહિત રાજ્યમાં 2 હજાર 325 એક્સપ્રેસ બસ સેવા શરૂ થઇ ચૂકી છે. જેમાં રોજના 5 લાખ મુસાફરો સવારી કરી લાભ લેશ તેવી શક્યતાનું અનુમાન લગાવામાં આવ્યું છે. અત્યાર સુધી માત્ર 30 ટકા બસો ચાલુ હતી તે તાલુકાથી તાલુકામાં મુસાફરી કરતી હતી પરંતું હવે એક્સપ્રેસ બસ સેવા શરૂ થતાની સાથે રાજ્યભરમાં બસો દોડતી થશે. એક્સપ્રેસ બસ મુખ્ય સ્ટેશનથી મુખ્ય સ્ટેશન વચ્ચે ક્યાય ઊભી રહેશે નહીં.
જે મોટો ડેપો હશે અને જ્યાં ટેમ્પરેચર ગનની વ્યવસ્થા હશે તેવા સ્ટેશન પર જ બસ રોકાશે. રાજ્યમાં અનલૉક વન બાદ બસ સેવાનું પ્રારંભ કરાયો હતો પરંતુ તે સેવા માત્ર તાલુકાથી તાલુકા પૂરતી હતી પરંતુ હવે સમગ્ર ગુજરાતમાં એક્સપ્રેસ બસો શરૂ કરાય છે. અત્યાર સુધી બે લાખ 75 હજાર લોકો રોજના બસ સેવાનો લાભ લઈ શકતા હતા પરંતુ એક્સપ્રેસ બસ સેવા શરૂ થતાની સાથે રાજ્યના પાંચ લાખ લોકો બસ સેવાનો લાભ લઈ શકશે.