અમદાવાદ: જમ્મૂના પુલવામામાં આતંકી હુમલાને લઈને ઠેર-ઠેર રેલીઓ નિકળી રહી છે. ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા નાગોરીવાડમાં પણ શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે શનિવારે રેલી નિકળી હતી. આ રેલીમાં કેટલાક અસામાજીક તત્વોએ હોબાળો કર્યો હતો. રેલીની પાસેથી લગ્નનો વરઘોડો પ્રસાર થઈ રહ્યો હતો.
#Ahmedabad ના દિલ્લી દરવાજા નજીક પથ્થરમારો લગ્નના વરઘોડામાં બબાલને લઇને બે જૂથ વચ્ચે પથ્થરમારો પથ્થરમારામાં 3 લોકોને પહોંચી ઈજા પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા ટિયરગેસના સેલ છોડ્યા પોલીસે 25થી વધુ લોકોની અટકાયત કરી@AhmedabadPolicepic.twitter.com/ilyXjOQS2D
ત્યારે નાગોરી પોલીસ પાસે 2 જૂથ સામ સામે આવ્યા હતા. આ દરમિયાન બન્ને જૂથે સામ સામે પથ્થર માર્યો કર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ એક ગાડીને આગ લગાવી હતી. આગ લાગતા ગાડી બળીને ખાખ થઇ ગઈ હતી. આ ઘટનામાં 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટનાની જાણ થતા સેક્ટર-1ના પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના JCP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જૂથ અથડામણને કાબુમાં લેવા માટે પોલીસે 4થી વધુ ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા. બે કલાકની કામગીરી બાદ મામલો શાંત પડ્યો હતો. આ મામલે પોલીસે 20 જેટલા લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.