અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સરકારી આવાસની વસંતનગર ટાઉનશીપમાં પાણીની ટાંકી તોડવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. જેમાં એક મળતાં અહેવાલ મુજબ હાલ કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
અમદાવાદના ગોતામાં પાણીની ટાંકી ધરશાઈ
ગોતા વસંતનગર ટાઉનશિપનો બનાવ
ટાંકી ધરસાઈ થતા 5 લોકો દટાયાની આશંકા
આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 7 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દુર્ઘટનાની જાણ થતાં 108 એમ્બુલન્સની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી. ગોતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે. સ્થાનિકો દ્વારા ફાયર કોલ કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી.
અમદાવાદમાં ટાંકીઓ પડવાનો સિલસિલો યથાવત
અમદાવાદના બોપલ અને ઘાટલોડિયા વિસ્તારમાં હજુ થોડા જ સમય પહેલાં ટાંકીઓ ધરાશાયી થયાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં લોકોના મૃત્યુ પણ થયા છે.
અમદાવાદમાં અનેક ટાંકીઓ જર્જરિત
અમદાવાદના અનેક વિસ્તારોમાં લગભગ 26થી વધુ ટાંકીઓ જર્જરિત હાલતમાં છે. જ્યારે 73થી વધુ ટાંકીઓ બંધ હાલતમાં છે. આ તમામ વિસ્તારોમાં લોકો ભગવાન ભરોસે જીવી રહ્યા છે.