અમદાવાદ: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજકોમાસોલની 57મી સાધારણ સભામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજકોમાસોલ દ્વારા પ્રથમ વખત 20 ટકા ડિવિડન્ડ જાહેરમાં કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં વધુમાં વધુ 15 ટકા સુધી ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ વખતે પહેલીવાર 20 ટકા ડિવિડન્ડની જાહેરાત કરાઈ છે. ગુજકોમાસોલના નફામાં આ વર્ષે દોઢસો ટકાનો વધારો થયો છે. ગત વર્ષે 5 કરોડનો નફો થયો હતો જે આ વર્ષે 13 કરોડ પર પહોંચી ગયો છે.
તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામા ગુજકોમાસોલે જાહેર કરેલા ત્રણ નિર્ણય ભારે મહત્વના રહ્યા હતા. પ્રથમ તો યુરીયાનું કમિશનમાં અત્યાર સુધી કિ્વન્ટલ દીઠ રૂા.161 અપાતું તે હવે રૂા.300 આપવામાં આવેશે તેવી જાહેરાતથી સહકારી સંઘ અને મંડળીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.
આ સાથે જ કર્મચારીઓ માટે ગુજકોમાસોલે રૂા.દોઢ કરોડ બોનસ આપવાની જાહેરાત કરી હતી તો વાર્ષિક ડિવિડન્ડ 15ને બદલે હવેથી ર0 ટકા આપવાની જાહેરાત કરાતા ખેડૂતોએ ગુજકોમાસોલે આ નિર્ણયને હરખભેર વધાવી લીધો હતો.
આપને જણાવી દઇએ કે વાર્ષિક રર00 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી ગુજકોમાસોલ સંસ્થાના વાર્ષિત નફામાં દોઢસો ટકાનો વધારો થયો હોવાની વાત પણ સામાન્ય સભામાં જાહેર કરવામાં આવી હતી.
ગતરોજ યોજાયેલ આ ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીય અને નાફેડના ચેરમેન વાઘજી બોડા આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા.