દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે.ત્યારે વધતા કેસમાં એક ચોંકાવનારીવાત સામે આવી છે, જી હા કેમકે અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટિંગમાં વિસગતા આવી છે.જેના કારણે એક વિદ્યાથીના અભ્યાસ પર માઠી અસર પડી છે. કેનેડા જવાનું સપનું હાલ છિન્ન ભિન્ન થઈ ગયું છે.
રાજ્યમાં છેલ્લા પખવાડીયાથી કોવિડના કેસો સતત વધી રહ્યા છે.વધતા પ્રકોપને શહેરીજનો સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.કોરોના ડર સામે વધતા સંક્રમણ કારણે ઠેર ઠેર કોવિડના ટેસ્ટ કરાવી રહ્યા છે. આજે વિદેશ જતા લોકો માટે ફરજિયાત ટેસ્ટિંગનો નિયમ તમામ એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે રાખવામાં આવ્યો છે.ત્યારે ગોમતીપુરમાં તેજબહાદુર સોસાયટીમાં રહેતા વિશાલસિંગ ભુશ્રીના પરિવાર માટે ટેસ્ટિંગ ન થતાં વિદેશ જવાના દરવાજા બધ થયા છે.
એક રિપોર્ટે વિદ્યાર્થીનું ભવિષ્ય રોળ્યું !
વિશાલસિંગ ભુશ્રી સિવિલ એન્જીનીયરીંગની માસ્ટર ડિગ્રી માટે કેનેડા જવાનું હતું. જેની 14 જાન્યુઆરીની ફ્લાઇટ હતી. જે પહેલા તેને rtpcr રિપોર્ટ કરાવવો ફરજિયાત હોય છે.એટલા માટે વિશાલસિંગ ભુશ્રીએ 12 જાન્યુઆરીએ સુપરાટેકમાં rtpcr કરાવ્યો. જેનો 13 તારીખે રિપોર્ટ પોઝિટિવ આવ્યો.જેથી તેનું કેનેડા જવું અટકી પડ્યું.પણ તેને કોઈ લક્ષણો નહિ હોવાથી રિપોર્ટમાં શંકા ગઈ અને વિશાલસિંગ ભુશ્રીએ 13 જાન્યુઆરી ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યો જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો. જે બાદ 15 જાન્યુઆરીએ ગ્રીન ક્રોસમાં રિપોર્ટ કરાવ્યો જેમાં પણ નેગેટિવ રિપોર્ટ આવ્યો.જેથી રિપોર્ટ સાચો કયો તેને લઈને વિશાલસિંગ અને તેનો પરિવાર અવઢવમાં મુકાયો.આ રિપોર્ટના કારણે વિશાલસિંગનું અભ્યાસ માટે કેનેડા જવું અટકી પડ્યું. જેથી તેના અભ્યાસ પર અસર પડી છે.
પરિવારે ગ્રાહક સુરક્ષામાં કરી ફરિયાદ
અલગ અલગ રિપોર્ટ આવતા સમગ્ર મામલે ભોગ બનનારે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં ફરિયાદ કરી.જે મામલે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિને આ પ્રકારની અન્ય પણ ફરિયાદ મળી હોવાનું સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે, જવાબદાર વિભાગને નોટિસ આપી ન્યાયની પણ માંગ કરી. તો તરફ રિપોર્ટના વિવાદથી કેનેડા નહિ જઈ શકતા વિદ્યાર્થીના અભ્યાસ પર અસર પડતા વિદ્યાર્થી અને તેના પરિવારે આ પ્રકારની ઘટના અન્ય સાથે ન બને માટે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં ફરિયાદ યોગ્ય તપાસ ની માંગ કરી.
યોગ્ય ન્યાયની માગ
જો કે એક વ્યક્તિના રીપોર્ટમાં વિસગતાને કરને અનેક મુશ્કેલીનો સમાનો કરવાની પરિવારને નોબત આવી છે.જયારે દેશમાં મેડીકલ સુવિધાની વાતી કરવામાં આવે છે.ત્યારે વિદેશમાં જતા યુવાનો સાથે આ પ્રકારની આરોગ્યલક્ષી રીપોર્ટ વિસગતા દેશ માટે અન્ય દેશમાં કેવી છાપ છોડે છે.તેમજ વિધાર્થી દેશમાં માટે કેવી સહાનુભુતિ કેળવે છે, તેના અભિયાન પર કેવી અસર પડે છે, તે તો પરિવાર વાચા થકી જ જોઈ શકાય છે.