અમદાવાદીઓ GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ-થ્રૂ RT-PCR ટેસ્ટ કરાવી શકશે, વાહનમાંથી બહાર નિકળ્યા વગર જ થશે RT-PCR ટેસ્ટ
અમદાવદ શહેરમાં શરૂ થશે ડ્રાઈવ-થ્રુ RT-PCR
શહેરીજનો GMDCમાં કરાવી શકાસે ડ્રાઈવ-થ્રુ RT-PCR
PPP ધોરણે એમસી સુપ્રાટેક સાથે ટાઈઅપ કરશે ટેસ્ટ
અમદાવાદમાં આવતીકાલથી શહેરમાં ડ્રાઈવ-થ્રૂ RT-PCR ટેસ્ટની શરૂઆત થશે. જેમાં અમદાવાદીઓ GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ-થ્રૂ RT-PCR ટેસ્ટ કરાવી શકશે. વાહનમાંથી બહાર નિકળ્યા વગર જ RT-PCR થઈ શકશે. PPP ધોરણે MC સુપ્રાટેક સાથે ટાઈઅપ કરીને આ ટેસ્ટ સુવિધા ઉભી કરાઈ છે.
ડ્રાઈવ-થ્રુ ટેસ્ટના નાણા ઓનલાઈન અને રોકડ બને રીતે ચૂકવી શકાશે. એક ટેસ્ટ માટે રૂ.800 ચૂકવવા પડશે. ડ્રાઈવ-થ્રૂ RT-PCRમાં QR કોડ સ્કેન કરીને નોંધણી થશે. ડ્રાઈવ-થ્રુ ટેસ્ટીંગ માટે 5 કલેક્શન સ્ટેશન શરૂ કરાશે. જેમાં GMDC મેદાન ખાતે ટેસ્ટિંગ ડોમ ઉભા કરાશે. અને 24 કલાક બાદ RT-PCRનો રીપોર્ટ પણ મળશે.
અમદાવાદમાં 900 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર ઉભું થશે
આ સાથે અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલ પાસે કોવિડ કેર શરૂ થશે. 900 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર ઉભું કરાશે. કન્વેન્શન હોલ ખાતે કોવિડ કેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કન્વેન્શન હોલમાં બેડ મૂકીને તૈયારી શરૂ કરી દીધી છે. 900 બેડનું કોવિડ કેર ઉભુ કરવાની CM રૂપાણીએ જાહેરાત કરી હતી. CMના આદેશ બાદ તંત્ર દોડતું થયું છે.
વડોદરામાં પણ 3 હજાર બેડની હોસ્પિટલ ઉભી કરાશે
વડોદરામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ વધતા સંક્રમણને લઇને તંત્ર દ્વારા યુદ્ધના સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. માત્ર ત્રણ દિવસમાં 3 હજાર બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. યજ્ઞપુરુષ કોવિડ કેરમાં હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં ICU, ઓક્સિજન સહિતની સુવિધા સાથે હોસ્પિટલ તૈયાર થઇ ગઇ છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે તમામ પ્રાથમિક સુવિધા છે. જેમાં આજે સાંજથી દર્દીઓને સારવાર માટે લાવવામાં આવશે. જ્યારે BAPS સ્વામીનારાયણ મંદિર અટલાદારા દ્વારા ભોજન અપાશે.
સુરતમાં કોરોના કહેરમાં પરિસ્થિતિને પહોંચી વળવા તાબડતોબ કોવિડ સેન્ટર ઉભું કરાઈ રહ્યું છે. ઓક્સિજનની સુવિધા સાથે 544 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ થશે. સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેનશન હોલમાં આ સેન્ટર ઉભું થઈ રહ્યું છે. મેડિકલ અને પેરા મેડિકલની ટીમ કાર્યરત રહેશે. ચેમ્બર ઓફ કોમર્સ અને મનપા સાથે મળી કોવિડ કેર સેન્ટર ચલાવશે.
આ સાથે સુરતના બારડોલીમાં માલિબા કેમ્પસમાં પણ કોવિડ કેર સેન્ટર બનાવાશે. વહીવટી તંત્ર દ્વારા 211 બેડનું સેન્ટર બનાવાશે તેવી જાહેરાત કરાઈ છે. 24 કલાક ઓક્સિજન સુવિધા સાથે ઉપલબ્ધ કરાશે. 154 બેડ ઓક્સિજનની સુવિધા સાથે મુકાઈ રહ્યા છે. વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે તમામ કોવિડ સેન્ટર ફૂલ થઈ રહ્યા છે.