બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદમાં ખોડીયાર માતાજીનું મંદિર, જંગલમાં બાળકી સ્વરૂપે પ્રગટ થઈ પૂર્યા પરચા, ઈતિહાસ રોચક

દેવ દર્શન / અમદાવાદમાં ખોડીયાર માતાજીનું મંદિર, જંગલમાં બાળકી સ્વરૂપે પ્રગટ થઈ પૂર્યા પરચા, ઈતિહાસ રોચક

Last Updated: 06:00 AM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ખોડિયાર માતાજીના અનેક મંદિરો આવેલા છે. અમદાવાદ નજીક ઘુમા ગામમાં ખોડીયાર માતાજીનું આશરે 150 થી 200 વર્ષ જુનું મંદિર આવેલું છે. ઘુમા ગામના આ ખોડીયારધામનું અનેરું મહત્વ છે.

અમદાવાદ નજીક આવેલા ઘુમા ગામમાં 150 વર્ષ જુનું મા ખોડીયારનું મંદિર આવેલું છે. ઘુમા અને આજુબાજુના ગામના લોકો મા ખોડીયાર દર્શન કરવા નિયમિત મંદિરે આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓની સાચી શ્રદ્ધાથી કરેલી અરજી માતાજી અચૂક પૂર્ણ કરે છે એટલે શ્રદ્ધાળુઓની માતાજી પ્રત્યે અનેરી આસ્થા જોડાયેલી છે. ગુજરાતમાં ખોડિયાર માતાજીના અનેક મંદિરો આવેલા છે. અમદાવાદ નજીક ઘુમા ગામમાં ખોડીયાર માતાજીનું આશરે 150 થી 200 વર્ષ જુનું મંદિર આવેલું છે. ઘુમા ગામના આ ખોડીયારધામનું અનેરું મહત્વ છે. ખોડીયારધામ ગામના લોકોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે. વર્ષો જુના ખોડીયાર માતાજીના મંદિરનો થોડા સમય પહેલા જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. માતાજીના મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓની મનોકામના માતાજીના આશીર્વાદથી ચોક્કસ પૂર્ણ થાય છે. મંદિરમાં બિરાજમાન મા ખોડીયારની મુર્તિ સામે જઈને ઉભા રહીએ ત્યારે દિવ્ય અનુભૂતિ થાય છે. માતાજીના મંદિરે નિસંતાન દંપતિ, સંતાન સુખ માટે અને વિદેશ જવા ઈચ્છતા લોકો ખાસ માનતા રાખે છે.

KHODIYAR 2

અમદાવાદના ઘુમામાં બિરાજમાન મા ખોડીયાર

ઘુમા ગામમાં બિરાજમાન ખોડીયાર માતાજીનો ઇતિહાસ રોચક છે. વર્ષો પહેલા ઘુમા ગામના એક ખેડૂત ગાડુ લઈને બહારગામથી પરત ફરી રહ્યા હતા ત્યારે જંગલ વિસ્તારમાં તેમના બળદ થાકીને બેસી ગયા એટલે મુંઝાયેલો ખેડૂત માતાજીને પ્રાર્થના કરવા લાગ્યો હતો અને થોડીવારમા જ નાની બાળકીના સ્વરૂપમાં માતાજીએ ત્યાં આવીને તે ખેડૂતને પોતાની સાથે લઇ જવા કહ્યું. ખેડૂતે તે બાળકીને સાથે લઇ જવાની હા પાડી ત્યારે થાકીને બેસી ગયેલા બળદ તરત ઉભા થઈ ગયા હતા. ગાડુ ઘુમા ગામના પાદરમાં પહોંચતા જ બાળકી સ્વરૂપે આવેલા માતાજી ઉતરી ગયા હતા ખેડૂતને પથ્થર આપીને સ્થાપન કરવા કહ્યું હતું. પટેલોની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં માતાજી સૌપ્રથમ પથ્થર રૂપે બિરાજમાન થયા હતા અને વર્તમાનમાં મૂર્તિ રૂપે બિરાજમાન કરવામાં આવ્યા છે. ગામના લોકો પોતાના ધંધા રોજગારની શરુઆત ખોડીયાર માતાજીના દર્શન કર્યા પછી જ કરે છે. ગામ લોકોનો દઢ વિશ્વાસ છે કે મંદિરે આવતા દરેક શ્રદ્ધાળુની મનોકામના માતાજી પૂર્ણ કરે જ છે. ૧૫૦ વર્ષ જુના આ મંદિરનો અત્યાર સુધીમાં ત્રણવાર જીર્ણોદ્ધાર થયો છે. વર્ષમાં એકવાર માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી મંદિરે કરવામાં આવે છે. મંદિરના નવીનીકરણ માટે સમગ્ર ગામજનોનો હંમેશા ભક્તિભાવથી સહકાર રહ્યો છે.

KHODIYAR MATAJI

આ પણ વાંચો: તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા

150 વર્ષ જુના મંદિરનો ત્રણવાર થયો છે જીર્ણોદ્ધાર

ગામમાંથી સ્થાળાંતર થઈ બીજે રહેવા ગયા છે તે લોકો પણ ખોડીયાર માતાજીના મંદિરે નિયમિત દર્શન કરવા આવે છે. અને આ જ તો તેમની માતાજી સાથે જોડાયેલી અતૂટ શ્રદ્ધા છે. ગામના લોકોએ જ્યારે પણ પોતાની કોઈપણ સમસ્યા માટે માતાજીને પ્રાર્થના કરી છે ત્યારે તેમની સમસ્યાનું ચોક્કસથી નિવારણ થયુ જ છે. અને એટલે જ તમામ ગ્રામવાસીઓને માતાજીમાં અતૂટ વિશ્વાસ છે. ખોડીયાર માતાના મંદિરે નિયમિત દર્શને જતા ગ્રામજનો કોઈપણ કામની શરૂઆત કરતાં પહેલા કે કોઈપણ જગ્યાએ બહાર જતા પહેલા માતાજીના દર્શન કરીને જ જાય છે અને આમ કરવાથી તેમના દરેક કામમાં તેઓ સફળતા હાંસલ કરે છે, તેમના કોઈ કામ અટકતા નથી. અને તેમાં કોઈપણ વિધ્ન આવતા નથી અને તેમનું માનવુ છે માતાજીના અમારા ગામ પર સદાય આશીર્વાદ રહે છે. 150 વર્ષ જુના ખોડીયાર મંદિરે આવીને માતાજી સમક્ષ કરેલી કોઈપણ પ્રાર્થના ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. મંદિરમાં રોજ વિવિધ પ્રસાદ ધરાવવામાં આવે છે. ગામના બાળકથી લઈને વૃદ્ધ, દરેક વ્યક્તિ માતાજીમાં અનેરો ભાવ ધરાવે છે. માતાજીના મંદિર પર લહેરાતી ધજાને સ્પર્શ થઈને જતી હવા પણ જાણે દૂરદૂર વસતા લોકોને સ્પર્શ કરી તેમને પણ માતાજીની હાજરીના સાક્ષાત્કારની અનુભૂતિ કરાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dev Darshan, Khodiyar Mataji Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ