વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આત્મનિર્ભર બનવા આહ્વાન આપ્યુ છે ત્યારે અમદાવાદમાં ગાંધીઆશ્રમ દ્વારા ખાદીના માસ્ક બનાવવામાં આવ્યા છે. આ માસ્કનું હાલ તો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સ્વદેશી અપનાવી અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી નોકરી ધંધા અને અર્થતંત્ર મજબૂત બનશે. સાથે સાથે તમામ લોકોને કામ પણ મળી રહેશે.
વિવિધ રંગની ખાદી અને સફેદ ખાદીના માસ્ક 3000 હજાર જેટલા બનાવમાં આવ્યા છે
1300 જેટલા માસ્ક આશ્રમમા વસતા આશ્રમવાસીઓ વિતરણ કરવામાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર બનવાની સાથે સ્વદેશી આપવાની શરૂઆત
કોરોના મહામારી દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર બનવાની સાથે સ્વદેશી આપવાની વાત કરી હતી. ત્યારે સ્વદેશી સાથે ખાદીની વાત કરતા આજે આશ્રમવાસી દ્વારા ખાદી નવી પહેલ કરવામાં આવી છે. ત્યારે કોરોના મહામારી માસ્કની તાતી જરૂરિયાત છે, ત્યારે ગાંધી આશ્રમમા આવેલા ઇમામ મઝીલમાં કેન્દ્રમાં ખાદી વણાટ કેન્દ્ર ચલાવતા આશ્રમવાસી ધીમત બઢિયા દ્વારા ખાદીના માસ્ક બનાવમાં આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર બનવાની સાથે સ્વદેશી આપવાની શરૂઆત
આશ્રમમા તૈયાર કરવામાં આવેલા માસ્કને આશ્રમમા વસતા પરિવારને ખાદીમાથી બનાવમાં આવેલા માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ખાદીના માસ્ક વિતરણ કરતા આશ્રમવાસી ધીમત બઢિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આત્મનિર્ભર બનો અને ખાદીનો ઉપયોગ કરો બસ એજ હેતુ સાથે ખાદીના માસ્ક બનાવમાં આવ્યા છે.
વિવિધ રંગની ખાદી અને સફેદ ખાદીના માસ્ક 3000 હજાર જેટલા બનાવમાં આવ્યા
વિવિધ રંગની ખાદી અને સફેદ ખાદીના માસ્ક 3000 હજાર જેટલા બનાવમાં આવ્યા છે. જેમાંથી 1300 જેટલા માસ્ક આશ્રમમા વસતા આશ્રમવાસીઓ વિતરણ કરવામાં આવ્યા છે. બાકીના માસ્કને લોકડાઉન માસ્ક વિના ફરતા નાગરિકો અને લોકડાઉનમાં બાદ ગાંધીઆશ્રમની મુલાકાતે આવતા લોકો નિઃશુલ્ક આપવાની તૈયારી દર્શવી છે.