અમદાવાદમાં વધતા કોરોનાના કારણે AMC દ્વારા 8 વોર્ડમાં રાત્રે ખાણી-પીણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
શહેરમાં વધતા કોરોના મુદ્દે AMCનો નિર્ણય
રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણી-પીણી બજાર બંધ
8 વોર્ડમાં રાત્રે ખાણી-પીણી બજાર બંધ કરાશે
ગુજરાતમાં કોરોના હજુ લોકો વચ્ચે છે. ત્યારે અમદાવાદમાં વધતા કેસ મુદ્દે AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણી-પીણી બજાર બંધ કરાશે. 8 વોર્ડમાં રાત્રે ખાણી-પીણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ 8 વોર્ડમાં પાલડી, જોધપુરમાં 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર બંધ રહેશે. સાથે મણીનગર, થલતેજમાં ઘાટલોડિયા, નવરંગપુરા ગોતા અને બોડકદેવમાં પણ ખાણીપીણી બજાર રાત્રે બંધ રહેશે.
અમદાવાદના 8 વોર્ડમાં શું શું બંધ રહેશે?
મોલ
શોરૂમ
ટી સ્ટોલ
ફરસાણની દુકાન
કાપડની દુકાન
પાનના ગલ્લા
હેર સલૂન
સ્પા
જીમ
ક્લબ
માણેકચોક ખાણીપીણી બજાર
રાયપુર ખાણીપીણી બજાર
ચૂંટણી બાદ કોરોનાના કેસ વધ્યા
મહત્વનું છે કે, દિવાળી પછી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી પણ કોરોનાના કેસ વધ્યા છે. તો બીજી તરફ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મેચ પણ પડી મોંઘી શકે છે. મેચ જોવા 50 હજારથી વધુ દર્શકો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. ગઇકાલે એક દિવસમાં રાજ્યમાં 810 કેસ નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના ભયાનક બનતો જાય છે. શહેરમાં જે રીતે કોરોનાના કાળોતરા નાગે ફૂંફાડા મારવા લીધા છે તેનાથી નાગરિકોએ તત્કાળ સ્વયંભૂ કોરોનાથી બચવા આત્મશિસ્તને અપનાવવી પડશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 810 નવા દર્દી જ્યારે 586 દર્દીઓ સાજા થયાં છે. અમદાવાદ અને ખેડામાં 1-1 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે.