શહેરની 20 હજાર ઈન્ડસ્ટ્રીઝ પૈકી દસ ટકા પાસે પણ એનઓસી નથી. દર 12 મહિને એનઓસી રિન્યૂ કરાવવાની જવાબદારી ફેક્ટરી માલિકોની છે.
10 ટકા ઇન્ડસ્ટ્રીઝ પાસે નિયમ અનુસારી ફાયર સેફ્ટીની એનઓસી છે
અમદાવાદમાં એક અંદાજ પ્રમાણે 20000થી ઇન્ડસ્ટ્રીઝ છે
વટવા જેવી જીઆઇડીસી પણ અમદાવાદીઓ માટે ટાઇમ બોમ્બ સમાન
પીરાણાની સાહિલ કેમિકલ ફેક્ટરી અને વટવા જીઆઇડીસીની માતંગી ઈન્ડસ્ટ્રીઝની ગમખ્વાર દુર્ઘટના બાદ પણ આ લોકોની ઊંઘ ઊડતી નથી
રાજ્યની હોસ્પિટલ, હોટલ, સ્કૂલ-કોલેજ, મલ્ટિ કોમ્પ્લેક્સ ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝની ફાયર સેફ્ટી એનઓસીનો મામલો લાંબા સમયથી ગાજી રહ્યો છે. અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટાં શહેરમાં ફાયર સેફ્ટીની એનઓસી વગરની હોસ્પિટલ કે બિલ્ડિંગને બીયુ પરમિશન નહીં મળે તેવું ચિત્ર ઉપસ્યું છે.
ઇન્ડસ્ટ્રીઝ ફાયર સેફ્ટીના મામલે ફેક્ટરી માલિકોના ભરોસે છે
જોકે અમદાવાદની વાત કરીએ તો ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટીની એનઓસીમાં ભારે અંધેરગર્દી છે. મેગાસિટી અમદાવાદમાં ગમે ત્યારે, ગમે ત ફેક્ટરીમાં ધડાકા ભડાકા થતાં હજારો લોકોના જાનમાલ સામે જોખમ ઊભું થઈ શકે તેમ છે. છતાં ઇન્ડસ્ટ્રીઝ ફાયર સેફ્ટીના મામલે ફેક્ટરી માલિકોના ભરોસે છે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે.
૨૦ હજારથી વધુ તંત્રમાં નોંધાયીલ ઇન્ડસ્ટ્રીઝ છે
શહેરમાં વટવા, ઓઢવ, નરોડા જીઆઇડીસી વિસ્તાર કહો કે પછી નારોલ, પીરાણા, પીપળજ, દાણીલીમડા, બહેરામપુરા વગેરે વિસ્તારની હજારો કેમિકલ ફેક્ટરી, પ્રોસેસ હાઉસ અને ગોડાઉન ગણો, પરંતુ મ્યુનિ. તંત્રમાં નોંધાયેલી ઇન્ડસ્ટ્રીઝના આંકડામાં પણ જબ્બર ગાબડું છે, કેમ કે નોંધાયેલી ઇન્ડસ્ટ્રીઝ સામે ગેરકાયદે ઇન્ડસ્ટ્રીઝની સંખ્યાનો કોઈ પાર નથી. ખાસ કરીને કેમિકલ ઝોનમાં આ સમસ્યા વધુ વિકટ છે. અમદાવાદમાં એક અંદાજ પ્રમાણે ૨૦ હજારથી વધુ તંત્રમાં નોંધાયીલ ઇન્ડસ્ટ્રીઝ છે, જે પૈકી દસ ટકા ઇન્ડસ્ટ્રીઝ પાસે નિયમ અનુસારી ફાયર સેફ્ટીની એનઓસી છે.
સાહિલ અગ્નિકાંડથી તો સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો
ગત તા.4 નવેમ્બરે પીરાણાની સાહિલ કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતાં 13 મહામૂલી જિંદગીનો ભોગ લેવાયો હતો. સાહિલ અગ્નિકાંડથી તો સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો, તેમ છતાં ફેક્ટરી માલિકોએ ફાયર સેફ્ટીની NOC મેળવવામાં કે એનઓસીને રિન્યૂ કરાવવાના મામલે હજુ ઉત્સાહ દાખવ્યો નથી. તંત્ર દ્વારા ફેક્ટરી પાસે NOCના ઇન્સ્ટોલેશન પેટે રૂ. બે હજાર અને NOC માટે રૂ. એક હજારની ફી લેવાય છે. જોકે એક વર્ષ માટે લેવાતી એનઓસીની મુદત પૂરી થાય તો તેને મહિનાઓ સુધી રિન્યૂ કરાવવાની તસદી પણ અનેક ફેક્ટરી માલિકો લેતા નથી. તેને સમયસર રિન્યૂ કરાવવાની જવાબદારી ફેક્ટરી માલિકોની છે. તેમ છતાં આ લોકો કુંભકર્ણી નિદ્રામાં છે.
વટવા જેવી જીઆઇડીસી પણ અમદાવાદીઓ માટે ટાઇમ બોમ્બ સમાન
વટવા જેવી GIDC પણ અમદાવાદીઓ માટે ટાઇમ બોમ્બ સમાન છે. ગત તા. 9 ડિસેમ્બરે આ GIDCની માતંગી ઇન્ડસ્ટ્રીઝમાં વિનાશક આગ ફાટી નીકળી હતી. તેમાં સોલ્વન્ટના ડ્રમમાં અચાનક ધડાકા-ભડાકા થવાથી છેક ઈસનપુર સુધીના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ GIDCના ચાર ફેઝ પૈકી ફેઝ-૨માં કેમિકલ ઝોન ઉપરાંત અનેક લોકોનાં મકાન હોઈ માતંગી અગ્નિકાંડથી આ વિસ્તારમાં ફરીથી આવી કોઈ દુર્ઘટના થવાની દહેશત લોકોમાં ફેલાઈ ગઈ છે.
સાહિલ અગ્નિકાંડ અને માતંગી અગ્નિકાંડ
સ્માર્ટ સિટી અમદાવાદમાં હજારો ઇન્ડસ્ટ્રીઝ હોઈ તેમાં ફાયર સેફ્ટીની એનઓસી લેવા કે તેના રિન્યૂઅલમાં જે પ્રકારે ફેક્ટરી માલિકોની બેદરકારી પ્રકાશમાં આવી છે તે દર્શાવે છે કે લાખો અમદાવાદીઓના જાનમાલ સામે આકસ્મિક ખતરો તોળાયેલો છે. સાહિલ અગ્નિકાંડ અને માતંગી અગ્નિકાંડ જેવા બે-બે મહાવિનાશક અગ્નિકાંડ બાદ પણ જો દસ ટકા ઇન્ડસ્ટ્રીઝ પાસે ફાયર સેફ્ટીની એનઓસી નથી તો આ બાબત આગામી દિવસોમાં ચોક્કસ ખતરનાક પુરવાર થવાની છે.