અમદાવાદમાં ગઇકાલે કાપડાના ગોડાઉમાં લાગેલ આગમાં 12 લોકોના મૃત્યું થયા હતા. જ્યારે અનેય 10 લોકો LG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે એક મળતા અહેવાલ મુજબ સારવાર હેઠળ રહેલા 10 લોકોની હાલત ગંભીર છે. જો કે બીજી તરફ 12 લોકોના મૃતદેહો આજે પરિવારને સોંપવામાં આવશે.
અમદાવાદના કાપડના ગોડાઉનમાં આગનો મામલો
LG હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા 10 લોકો ગંભીર હાલતમાં
આજે 12 લોકોના મૃતદેહોને પરિવારને સોંપાશે
અમદાવાદના થયેલા અગ્રિકાંડમાં 12 લોકોએ જીવ ગુમાવ્યાં છે જ્યારે અન્ય 10 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પરિવારજનોએ જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. પરિવારજનોમાં એક તરફ આક્રંદ બીજી તરફ રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના પીરાણા કાપડ ગોડાઉનમાં આગની ઘટનામાં 12 લોકોના મૃત્યું થયા હતા. જેમાં 5 મહિલા અને 7 પુરૂષોના દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. જો કે ગઇકાલે મોડી સાંજે શહેરના મેયરે LG હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
અમદાવાદના પીરાણા સ્થિત આવેલ ગોડાઉનમાં થયેલી આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ ગઇકાલે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી હતી.
રૂપાણી સરકારે તપાસના આપ્યા આદેશ
આ સાથે જ આ બનાવને લઇને મુખ્યમંત્રીએ તપાસ માટે તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓ એવા શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમારને આગ દુર્ઘટનાની તપાસ સોંપી છે.
શું છે સમગ્ર મામલો
અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી ફેક્ટરીના કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો કાપડના ગોડાઉનમાં આગ લાગવાના કારણે 9 લોકોના મૃત્યુ થયા છે.
કેમિકલ રિએક્શનના કારણે બ્લાસ્ટ થયો: ફાયર ચીફ એમ.એન.દસ્તુર
અમદાવાદ ગોડાઉનમાં આગની ઘટના પર ફાયર ચીફ એમ.એન.દસ્તુરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આગ કરતા છત ધરાશાયી થતાં મોટું નુકસાન થયું છે. ત્યાર સુધી 9 લોકોના મૃત્યુ, 9 લોકોને બહાર કઢાયા છે. કેમિકલ રિએક્શનના કારણે બ્લાસ્ટ થયો છે.
અમદાવાદમાં કાપડનાં ગોડાઉનમાં આગ મામલે ઘટનાના 8 કલાક બાદ અમદાવાદના મેયર બિજલ પટેલ LG હોસ્પિટલ પહોંચ્યા હતા. મેયરે આગની દુર્ઘટનાને સામાન્ય ગણાવી હતી અને પત્રકારો દ્વારા વધુ પ્રશ્નો પૂછતા જ મેયરે ચાલતી પકડી હતી. મીડિયાથી બચવા મેયર અન્ય દરવાજેથી હોસ્પિટલમાં પ્રવેશ્યા હતા.