અમદાવાદના પીરાણામાં કાપડના ગોડાઉનમાં આગની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. સાહિલ એન્ટરપ્રાઇઝમાં બોઇલર બ્લાસ્ટ થયાનો વીડિયો આવ્યો સામે છે. આ બ્લાસ્ટ સમયે
નાનુકાકા એસ્ટેટમાં ગોડાઉનમાં 14 જેટલા લોકો હાજર હતા. આ CCTV ફૂટેજમાં દુર્ઘટના પહેલા કામ કરતા લોકો નજરે પડ્યા છે. આ બ્લાસ્ટ બાદ આગ લાગી અને છત ધરાશાયી થઇ જેને લઇને મોટી જાનહાની થવા પામી છે. જુઓ અમદાવાદમાં આગ પહેલા થયેલા બ્લાસ્ટનો 3 સેકેન્ડનો હચમચાવી દેનારો વીડિયો...
રાજ્યમાં ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી ફેક્ટરીના કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અમદાવાદના પીરાણા કાપડના ગોડાઉનમાં આગનો મામલે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક 9 પર હતો જ્યારબાદ કાટમાળ નીચેથી વધુ 3 મૃતદેહ બહાર કઢાયા છે. જેને લઇને મૃત્યુઆંક વધીને 12 થયો છે. કુલ 5 મહિલા અને 7 પુરૂષોના દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. આ બ્લાસ્ટના CCTV સામે આવ્યા છે જેમાં ગોડાઉનમાં અનેક લોકો કામ કરતા નજરે પડી રહ્યા છે, અચાનક જ બ્લાસ્ટ થાય છે અને આખું ગોડાઉન હમચમી ઉઠે છે, ચો તરફ આગ અને ધુમાડો નજરે પડે છે. ઉપરની છત તૂટીને નીચે પડે છે, આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામે છે.
નાનુકાકા એસ્ટેટમાં કાપડની ફેક્ટરીના ગોડાઉનમાં આગની ઘટના બની હતી
નાનુકાકા એસ્ટેટમાં કાપડની ફેક્ટરીના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. કાપડનું ગોડાઉન સંપૂર્ણ પેક હતું અને વેન્ટિલેશનની વ્યવસ્થાનો અભાવ હતો. તો સાથે જ ગોડાઉનમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે સાહિલ એન્ટરપ્રાઇઝમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું. આ ગોડાઉન બટા ભરવાડ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું છે અને પોલીસે કેમિકલના ગોડાઉન મલિકની પૂછપરછ શરૂ કરી છે.
જોરદાર ધડાકો સાથે આખી જમીનમાં ધ્રુજારી આવી ગઇઃ પ્રત્યક્ષદર્શી
અમદાવાદમાં ગોડાઉનમાં બ્લાસ્ટને લઈ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, જોરદાર ધડાકો સાથે આખી જમીનમાં ધ્રુજારી આવી ગઇ. આકાશમાં ચારે બાજુ ધુમાડો જ ધુમાડો હતો. ઘટના ખુબ જ ગંભીર હતી, અનેક લોકો બિલ્ડીંગમાં દટાયેલા હતા. ધ્રુજાવી દે તેવો ધડાકો થયો અને બિલ્ડીંગ તુટી પડી હતી.
મૃતકોના પરિવાર 4-4 લાખ સહાયની CMની જાહેરાત
અમદાવાદમાં આગ દુર્ઘટનાને લઈ CMએ આપ્યા તપાસના આદેશ આપ્યા છે. બે ઉચ્ચ અધિકારીઓને આગકાંડની તપાસની જવાબદારી સોંપાઈ છે. વિપુલ મિત્રા અને સંજીવકુમાર આગ દુર્ઘટનાની તપાસ કરશે. તો મૃતકોના પરિવારને પણ રૂ.4 લાખ સહાયની CMએ જાહેરાત કરી છે.
કેમિકલ રિએક્શનના કારણે બ્લાસ્ટ થયો: ફાયર ચીફ એમ.એન.દસ્તુર
અમદાવાદ ગોડાઉનમાં આગની ઘટના પર ફાયર ચીફ એમ.એન.દસ્તુરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આગ કરતા છત ધરાશાયી થતાં મોટું નુકસાન થયું છે. અત્યાર સુધી 9 લોકોના મૃત્યુ, 9 લોકોને બહાર કઢાયા છે. કેમિકલ રિએક્શનના કારણે બ્લાસ્ટ થયો છે.
GPCB ચેરમેન સંજીવ કુમારે આગ ઘટનાની નોંધ લીધી
અમદાવાદમાં કાપડનાં ગોડાઉનમાં આગ મામલે GPCB ચેરમેન સંજીવ કુમારે આગ ઘટનાની નોંધ લીધી છે. કેમિકલ મુદ્દે GPCBએ તપાસ કરી શરૂ છે. કંપનીમાં આગ મામલે પ્રાદેશિક કચેરી પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઘટના સ્થળ આસપાસ વિસ્તારનું પોલ્યુશન મપાશે અને પોલ્યુશન માપીને કયું કેમિકલ વપરાયુ તેની જાણકારી મેળવશે.
PM મોદીએ અમદાવાદના ગોડાઉનમાં આગની ઘટના અંગે વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદમાં ગોડાઉનમાં આગની દુર્ઘટના મામલે PM મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ. કહ્યું, અમદાવાદના કાપડના ગોડાઉનમાં આગને કરાણે થયેલી જાનહાનીને કારણે ખુબ દુ:ખી છું. પીડિતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ થનારાઓ માટે પ્રાર્થના છે. સ્થાનિક તંત્ર તમામ પ્રકારની શક્ય મદદ કરવા માટે તત્પર છે.
Anguished by the loss of lives due to a fire in a godown in Ahmedabad. Condolences to the bereaved families. Prayers with the injured. Authorities are providing all possible assistance to the affected.
સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે: અમિત શાહ
અમદાવાદમાં કપડાના ગોડાઉનમાં આગનો મામલે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે, સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે, જીવ ગુમાવનાર પરિવારો માટે સંવેદના છે.
अहमदाबाद में कपड़ों के गोदाम में आग लगने की सूचना अत्यंत दुःखद है। स्थानीय प्रशासन घटनास्थल पर हर सम्भव सहायता प्रदान करने में जुटा है। इस दुर्घटना में जान गंवाने वाले लोगों के परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूँ और घायलों के शीघ्र ही स्वस्थ होने की प्रार्थना करता हूँ।