મ્યુનિસિપલ ફાયરબ્રિગેડનાં જાણકાર સૂત્રો કહે છે કે, સુરત જેવી આગની દુર્ઘટનાને પહોંચી વળવા માટે અમદાવાદ ફાયરબ્રિગેડ સુસજ્જ છે. સુરતનાં અગ્નિકાંડમાં ફસાયેલાં બાળકોની મદદ માટે સ્થાનિક ફાયરબ્રિગેડ પાસે ૭મા માળના ટેરેસ સુધી પહોંચી શકે તેવી અત્યાધુનિક હાઇડ્રોલિક પ્લેટફોર્મ કે ટર્નટેબલ લેડર ન હોતું. આ ઉપરાંત ભયભીત થયેલાં બાળકોને સિફતપૂર્વક જમીન પર ઝીલી શકી તેમનાં મહામોલાં જીવન બચાવી શકે તેવા જમ્પિંગ કુશન ન હોતાં.
અમદાવાદઃ સુરતનાં તક્ષશિલા કોમ્પ્લેકસનાં ૭મા માળનાં ટેરેસ પર લાગેલી ભયાનક આગમાં રર માસૂમ બાળકોનાં મોત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાવાળાઓએ ટ્યૂશન કલાસીસની ફાયર સેફટી મામલે શહેરભરમાં વ્યાપક તપાસ હાથ ધરી છે. આમ તો તંત્રની આ કામગીરી આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી હોઇ લોકોમાં ટીકાસ્પદ બની છે. જોકે સુરતની સરખામણીમાં અમદાવાદ કોર્પોરેશન ર૬ માળ સુધી આગ, અકસ્માત જેવી દુર્ઘટનામાં ફસાયેલા લોકોને બચાવી શકે તેવી અત્યાધુનિક સીડી ધરાવે છે.
મ્યુનિસિપલ ફાયરબ્રિગેડનાં જાણકાર સૂત્રો કહે છે કે, સુરત જેવી આગની દુર્ઘટનાને પહોંચી વળવા માટે અમદાવાદ ફાયરબ્રિગેડ સુસજ્જ છે. સુરતનાં અગ્નિકાંડમાં ફસાયેલાં બાળકોની મદદ માટે સ્થાનિક ફાયરબ્રિગેડ પાસે ૭મા માળના ટેરેસ સુધી પહોંચી શકે તેવી અત્યાધુનિક હાઇડ્રોલિક પ્લેટફોર્મ કે ટર્નટેબલ લેડર ન હોતું. આ ઉપરાંત ભયભીત થયેલાં બાળકોને સિફતપૂર્વક જમીન પર ઝીલી શકી તેમનાં મહામોલાં જીવન બચાવી શકે તેવા જમ્પિંગ કુશન ન હોતાં.
પરંતુ અમદાવાદ ફાયરબ્રિગેડ પાસે ૧૬ માળ સુધી એટલે કે પપ મીટરની ઊંચાઇ સુધી પહોંચી શકાય તેવું એક ટર્ન ટેબલ લેડર અને એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે. જ્યારે ૮૦ મીટર ઊંચાઇ ધરાવતા હાઇરાઇઝ બિલ્ડિંગ એટલે કે ર૬ માળ સુધી પહોંચી શકાય તેવું એક ટર્ન ટેબલ લેડર છે. છેલ્લા ત્રણેક વર્ષમાં તંત્રએ કરોડો રૂપિયાનાં ખર્ચે આ સાધનો વસાવ્યાં છે.
જ્યારે હાલમાં સાત માળની ઊંચાઇ સુધી પહોંચી શકે તેવું એક જૂનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે પરંતુ તે રિપેરિંગ માગી લે તેવું હોઇ તેના રિપેરિંગ માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ કોટ વિસ્તારના ગીચ મકાનોમાં આકસ્મિક આગ કે અકસ્માત જેવી ઘટના વખતે નાગરિકોનાં જાનમાલનું રક્ષણ કરી શકશે.
આ ઉપરાંત છેક ૧૦ માળેથી કૂદીને આગ જેવા ભીષણ બનાવમાં પોતાનાં જીવનની સલામતી ઇચ્છતા નાગરિકો માટે અમદાવાદ ફાયરબ્રિગેડ પાસે બે જમ્પિંગ કુશન છે. આ જમ્પિંગ કુશનને જમીન પર પાથરીને તેના પર ઊંચાઇથી કૂદનારા લોકોના જીવ બચાવી શકાય તેમ છે તેમ પણ ફાયરબ્રિગેડનાં સૂત્રો કહે છે.