હાલ ગુજરાતમાં તહેવારોની સીઝન જોવા મળી રહી છે. ત્યારે લોકો દિવાળીને લઇને ખરીદી કરવા નીકળી રહ્યાં છે. જો કે બીજી તરફ રાજ્યમાં કોરોના વાયરસને લઇને પરિસ્થિતિ આ ભીડને લઇને ફરી બગડી શકે છે. ભીડથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે. ત્યારે સવાલ થાય છે કે આ રીતે કોરોના પર આપણે વિજય મેળવી શકીશું?
દિવાળીની ખરીદી માટે જોવા મળી રહી છે ભીડ
ભીડને નિયંત્રણમાં લેવાનો તંત્ર પાસે કોઇ પ્લાન નહીં
તહેવારોને નામે થઇ રહેલી બેદરકારી સામે તંત્ર લાચાર
હાલ રાજ્યમાં દિવાળીની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભીડથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા જોવા મળી રહી છે.
ત્યારે બજારમાં ઉમટી રહેલી ભીડને નિયંત્રણમાં લેવાનો તંત્ર પાસે કોઇ પ્લાન નહીં હોવાનું જોવા મળી રહ્યું છે. મર્યાદિત બજારોને મંજૂરી મળતા એક સ્થળે વધુ ભીડ જોવા મળી રહી છે. તહેવારનો નામે થઇ રહેલી બેદરકારી સામે તંત્ર લાચાર બનેલું જોવા મળી રહ્યું છે.
દિવાળી ખરીદી માટે ઉમટતી ભીડ જોખમી
અમદાવાદમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો છે. કોરોનાની મહામારીમાં પણ અહીં દિવાળીની ખરીદી માટે લોકોની ભીડ જામેલી જોવા મળી રહી છે. ગઇકાલે શહેરના લાલ દરવાજા, ભદ્ર માર્કેટ સહિતની બજારમાં લોકો ખરીદી માટે ઉમટી પડયાં હતા.
જો કે દિવાળીની ખરીદીમાં લોકો કોરોનાને ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લોકોએ માસ્ક ન હતા પહેર્યો કે સામાજિક અંતરનો પણ છેદ ઉડતો જોવા મળ્યો હતો.