શાળા સંચાલકો દ્વારા ઉઘરાવાતી બેફામ ફીને લઈને હાર્દિક પટેલ બાદ વરૂણ પટેલે પણ ઝુકાવ્યુ છે. વરૂણ પટેલે શૈક્ષણિક સંસ્થાનોના વહિવટદાર મનાતા રાજા પાઠક સામે આરોપો લગાવીને સરકારને તાકીદે પગલા લેવા માંગ કરી છે. અને ચીમકી પણ આપી છે.
રાજા પાઠક જેવા શિક્ષણ માફિયાઓને વરુણ પટેલની ચીમકી
રાજા પાઠક નહીં સુધરે તો હું સુધારવા જઈશઃ વરુણ
નહીં સુધરે તો હું અલ્પેશ ઠાકોર સાથે મોં કાળું કરવા જઈશઃ વરુણ
અમદાવાદમાં શાળા સંચાલકો બેફામ બન્યા છે. શાળા સંચાલકો સામે ભાજપના વરુણ પટેલ મેદાને આવ્યા છે. રાજા પાઠક જેવા શિક્ષણ માફિયાઓને વરુણ પટેલે ચીમકી આપી છે. વરુણ પટેલે કહ્યું કે રાજા પાઠક નહીં સુધરે તો હું સુધારવા જઈશ. રાજા પાઠક નહીં સુધરે તો હું અલ્પેશ ઠાકોર સાથે મોં કાળું કરવા જઈશ.
હાર્દિક પટેલે પણ કર્યો વિરોધ
શાળાઓ દ્વારા બેફામ રીતે ઉઘરાવાતી ફી મામલે હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ પોતાની સ્કૂલની ફી માફ કરી શરૂઆત કરે. કોંગ્રેસના નેતાઓ ફી માફ કરશે તો ભાજપના નેતાઓને પણ કરવી પડશે. ઓનલાઈન શિક્ષણના નામે ફી ઉઘરાવાઈ રહી છે. સ્કૂલ ફી પર સરકારની કોઇ લગામ નથી. સરકારે વિદ્યાર્થીઓને રાહત આપવી જોઇએ. સરકાર ફી માફ કરી વાલીઓને આર્થિક સહયોગ કરી શકે છે.
શિક્ષણમાફિયા પર શું આરોપ ?
ગુજરાતમાં વર્ષોથી સ્કૂલ માફિયાઓ પોતાની મનમાની ચલાવે છે. સ્કૂલ માફિયાઓને સરકાર પણ છાવરે છે. અમદાવાદમાં ઉદગમ, આનંદ નિકેતનમાં મનફાવે તેટલી ફી લેવાય છે. ઓનલાઈન શિક્ષણના નામે વાલીઓ પાસેથી બેફામ ફી ઉઘરાવાય છે. વાલીઓ 80 ટકા રૂપિયા પોતાના બાળકને ભણાવવામાં લગાવે છે. કોરોના મહામારી દરમિયાન સ્કૂલ સંચાલકોએ રાહત આપવાની જરૂર છે . સરકાર ન કહે, ત્યારે પણ માનવતા દાખવવી જરૂરી છે. સ્કૂલોમાં પૈસા લઈને લોકોને પ્રવેશ આપવામાં આવે છે. અમદાવાદમાં 5 હજારથી 5 લાખ રૂપિયા સુધીની ફી ઉઘરાવાય છે. જનતાને રાહત આપો તેવી સરકાર અને સ્કૂલ માફિયાઓને વિનંતી. સ્કૂલ માફિયાઓ સરકાર સાથે જોડાયેલા છે. તાલુકા,કોર્પોરેશન,વિધાનસભામાં તમામ લોકોને હપ્તો પહોંચાડે છે
ત્રણ સ્કૂલના ટ્રસ્ટી રાજા પાઠક સરકાર સુધી હપ્તો પહોંચાડે છે
અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટના સ્કૂલ સંચાલકો સરકારને હપ્તો આપે છે. સ્કૂલના સંચાલકો દ્વારા 100-100 કરોડ રૂપિયાનો હપ્તો પહોંચાડાય છે. હપ્તો મળવાના કારણે સરકાર દ્વારા કાર્યવાહી કરાતી નથી. સરકારને સબક નહી શીખવાડીએ,ત્યાં સુધી સરકાર સુધરવાની નથી. સ્કૂલ સાથે સાઠગાંઠ કરતા મંત્રીઓ સામે જનતાએ બોલવું પડશે. સુપ્રીમ કોર્ટે FRCના પ્રમાણે ફી લેવાનું કહ્યું, સરકાર માનતી નથી.