શાળાઓ દ્વારા બેફામ ફી વસૂલવા મામલે હવે ભાજપના વરૂણ પટેલ અને કોંગ્રેસના હાર્દિક પટેલ મેદાને આવ્યા છે. અમદાવાદમાં ભાજપના જ ઈશારાથી શિક્ષણ જગતના હાલ શિક્ષણ માફિયા જેવા બન્યા હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે ત્યારે ભાજપના જ મળતિયાનું નામ આવતા સરકાર સહિત સમાજના આગેવાનોના કાન સરવા થઈ ગયા છે.
શાળા સંચાલકોની દાદાગીરી સામે હાર્દિક પટેલ મેદાને
શાળા સંચાલકો સામે ભાજપના વરુણ પટેલ મેદાને
રાજા પાઠક જેવા શિક્ષણ માફિયાઓને વરુણ પટેલની ચીમકી
શું કહ્યુ હાર્દિક પટેલે?
શાળાઓ દ્વારા બેફામ રીતે ઉઘરાવાતી ફી મામલે હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ પોતાની સ્કૂલની ફી માફ કરી શરૂઆત કરે. કોંગ્રેસના નેતાઓ ફી માફ કરશે તો ભાજપના નેતાઓને પણ કરવી પડશે. ઓનલાઈન શિક્ષણના નામે ફી ઉઘરાવાઈ રહી છે. સ્કૂલ ફી પર સરકારની કોઇ લગામ નથી. સરકારે વિદ્યાર્થીઓને રાહત આપવી જોઇએ. સરકાર ફી માફ કરી વાલીઓને આર્થિક સહયોગ કરી શકે છે. ઉદ્ગમ, આનંદ નિકેતન અને સત્વ વિકાસ જેવી સ્કૂલોના શાળા સંચાલકો બેફામ રીતે સ્કૂલો ઉઘરાવે છે, રાજા પાઠક લાખો ફી ઉઘરાવે છે છતાં સરકાર સાથે સેટિંગ હોવાથી કોઈ કાર્યવાહી થતી નથી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 25, 2020
ઉદગમ, આનંદ નિકેતન સ્કૂલમાં રાજા પાઠક દ્વારા વહીવટ કરાય છે. ત્રણ સ્કૂલના ટ્રસ્ટી રાજા પાઠક સરકાર સુધી હપ્તો પહોંચાડે છે. તમામ ચૂંટણીમાં સ્કૂલના સંચાલકો સરકારને રૂપિયા પહોંચાડે છે. સ્કૂલ દ્વારા દર વર્ષે 100-100 કરોડ રૂપિયા હપ્તા અપાય છે. હપ્તો મળવાના કારણે સરકાર કાર્યવાહી કરતી નથી. જનતાને આવાજ ઉઠાવવા માટે હાર્દિક પટેલે આહ્વાન કર્યુ હતુ.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 25, 2020
કોણ છે રાજા પાઠક?
2008 ડમીકાંડમાં રાજા પાઠકને ક્રાઈમ બ્રાંચે આરોપી બનાવ્યા હતા. 4 વર્ષ પછી અચાનક ડમીકાંડમાં ક્રાઈમ બ્રાંચે રાજા પાઠકને ક્લીનચીટ આપી હતી. રાજા પાઠક અમદાવાદની જાણીતી સત્વ વિકાસ શાળા ટ્રસ્ટી છે . રાજા પાઠકનું ભાજપ સાથેનું રાજકીય કનેક્શન મજબૂત છે. અમદાવાદમાં મોટી શાળાઓ જેટલી છે તેને રાજા પાઠક મેનેજ કરે છે. એ આરોપો પણ થતા રહ્યાં છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાઠકના ઈશારે કામ કરે છે. રાજા પાઠકની શાળાઓમાં ડોનેશન લેવાય છે તેવી ફરિયાદો વારંવાર થઈ છે. રાજા પાઠકની શાળાઓની સરેરાશ ફી 2 લાખ રૂપિયા જેટલી હોય છે. અમદાવાદની વિવાદસ્પદ શાળા ઉદગમના રાજા પાઠક ટ્રસ્ટી છે. ગુજરાતમાં શાળા અને શિક્ષણના ખાનગીકરણમાં રાજા પાઠકનો ફાળો મોટો છે. ગુજરાતના શિક્ષણમાં 40 વર્ષથી રાજા પાઠકનું રાજ ચાલે છે.
વરૂણ પટેલે પણ ઝુકાવ્યુ
અમદાવાદમાં શાળા સંચાલકો બેફામ બન્યા છે. શાળા સંચાલકો સામે ભાજપના વરુણ પટેલ મેદાને આવ્યા છે. રાજા પાઠક જેવા શિક્ષણ માફિયાઓને વરુણ પટેલે ચીમકી આપી છે. વરુણ પટેલે કહ્યું કે રાજા પાઠક નહીં સુધરે તો હું સુધારવા જઈશ. રાજા પાઠક નહીં સુધરે તો હું અલ્પેશ ઠાકોર સાથે મોં કાળું કરવા જઈશ.