ક્યારે કાળ આવે તે કહી ન શકાય. આવી જ એક ઘટના આજે બની હતી. જેમાં અમદાવાદથી પોરબંદર રક્ષાબંધનના પરબલા મનાવવા જઈ રહેલા પરિવારને ગોઝારો રોડ અકસ્માત નડ્યો હતો જેમાં 2ના મોત થયા હતા અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પણ 2 વર્ષની બાળકીનો આબાદ રીતે બચાવ થઈ ગયો હતો.
2 વર્ષની બાળકીનો આબાદ બચાવ
પતિ-પત્નીનું મોત
4 લોકો ગંભીર રીતે ઘાયલ
રક્ષાબંધન નિમિત્તે અમદાવાદથી પોરબંદરના રાણાવાવ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે ધોરાજીના ભૂતવડ ગામના પાટીયા પાસે ઢોર આડુ ઉતરતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે 2 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો.