ગીર સોમનાથઃ અમદાવાદના કોચરબ પાલડી-એલિસબ્રીજ વિસ્તારમાં રહેતી મહિલા ઘરેથી અચાનક ગુમ થઇ ગઇ હતી. પરંતુ સોમનાથ મંદિર પાસેથી ગુમ થયેલ મહિલા મળી આવી હતી. ભિક્ષુકોની કતારમાં બેસેલ પૌઢ મહિલાને તેના પરિવારના સભ્યો સોમનાથ યાત્રાએ આવતા અચાનક જોઇ જતાં પરિવાર સાથે મિલન થયું છે.
આ પ્રકારે સોમનાથ મંદિર ખાતે ઘરેથી ગુમ થયેલ અમદાવાદની એક પ્રૌઢ મહિલા યાત્રાએ આવેલ પરિવાર સાથે મિલન થતાં હર્ષના આંસુ સાથે ભાવભાની દ્રશ્યો સર્જાયા હતા.
મહત્વનું છે કે અમદાવાદના કોચરબ પાલડી-એલીસબ્રીજ વિસ્તારમાં રહેતા નીરૂબેન મનુભાઇ રાઠોડ(ઉ.વ.૬૦) ઘરેથી અચાનક ગુમ થયેલા હતા. જેથી તેના પરિવારે અમદાવાદ એલીસબ્રીજ પોલીસ મથકમાં ગુમ થયા બાબત પોલીસ ફરિયાદ રજીસ્ટર નં.૨૪ /૧૮ મુજબ નોંધાવેલ હતી. આમ આ પ્રૌઢ મહિલા તા.21-5-2018 થી ગુમ થયેલ હતાં.
તેવામાં અચાનક આજે તેના પરિવારના લોકો સોમનાથ દ્વારકા દિવના પ્રવાસે આવેલ હતા. મનીષ રાઠોડ તેમજ તેની પત્ની દક્ષાબેન રાઠોડ સોમનાથ મંદિર પાસે ફરતા હતા તેવામાં ભિક્ષુકોની કતારમાં તેના પરિવારના ગુમ થયેલ મહિલાને જોતાં તેમણે સોમનાથ મંદિર સુરક્ષા પોલીસ ઈન્ચાર્જ બી. એચ. ચૌહાણ તેમજ રાઇટર દિલીપસિંહ રાઠોડને જાણ કરી હતી.
તેમણે તુરંત જ અમદાવાદ તેના પરિવાર તથા પોલીસને જાણ કરી વિખુટા પડેલ પરિવાર સાથે સુખદ મિલન કરાવતા પરિવાર સાથે વોટસએપથી વિડીયો દ્વારા વાત કરેલ હતી. ત્યારે આ ગુમશુદા મામલાનો સફળ ઉકેલ કરાવેલ છે. આ કાર્યમાં સોમનાથ ટ્રસ્ટના જીતુપુરી ગોસ્વામી પોલીસ ઈન્ચાર્જ બી.એચ. ચૌહાણ રાઇટર દિલીપસિંહ રાઠોડ સુંદર કામગીરી કરી પરિવાર મિલન કરાવ્યું.