સતત વધી રહેલા પ્રદુષણને પહોંચી વળવા માટે અમદાવાદ મહાનગર પાલીકા(મનપા)એ ઈલેક્ટ્રીક બસની ખરીદી કરી છે. 18 બસ અમદાવાદમાં આવી ગઈ છે જ્યારે બાકીની 32 બસ થોડા સમયમાં આવી જશે. અમદાવાદને હરિયાળુ રાખવા માટે 300 ઈલેક્ટ્રીક બસો રોડ ઉપર દોડાવવામાં આવશે. અમિત શાહને હસ્તે ઓગસ્ટ મહિનામાં ઈલેક્ટ્રીક બસને હરી ઝંડી બતાવવામાં આવી હતી.
અમદાવાદ હવે ઈલેક્ટ્રીક બસ સાથે બનશે પ્રદુષણ મુક્ત
અમીત શાહને હસ્તે બસને બતાવાઈ હતી હરીઝંડી
વાયુ અને ધ્વની બંને પ્રદુષણને ફેલાવતુ અટકાવશે ઈલેક્ટ્રીક બસ
સતત વધી રહેલા પ્રદુષણને પહોંચી વળવા માટે અમદાવાદ મહાનગર પાલીકા(મનપા)એ ઈલેક્ટ્રીક બસની ખરીદી કરી છે. 18 બસ અમદાવાદમાં આવી ગઈ છે જ્યારે બાકીની 32 બસ થોડા સમયમાં આવી જશે. અમદાવાદને હરિયાળુ રાખવા માટે 300 ઈલેક્ટ્રીક બસો રોડ ઉપર દોડાવવામાં આવશે. અમિત શાહને હસ્તે ઓગસ્ટ મહિનામાં ઈલેક્ટ્રીક બસને હરી ઝંડી બતાવવામાં આવી હતી.
હવાપ્રદુષણ એ આવનારા સમયમાં સૌથી મોટા પ્રશ્ન તરીકે સામે આવવાનો છે ત્યારે અમદાવાદમાં સૌથી વધુ ટુવ્હીલર છે. મનપાએ પ્રદુષણ નિવારવાના ઉપાય તરીકે ઈલેક્ટ્રીક બસનો વિકલ્પ વિચાર્યો છે. અમાવાદમાં આ અંગે યોજાએલી મનપાની એક પ્રેસ કોન્ફરેન્સમાં મ્યુ. કમિશનરે આ અંગે કેટલીક માહિતી આપી હતી.
શું કહ્યુ મનપા કમિશનરે
'અમે 50 બસનો ઓર્ડર આપ્યો હતો જેમાંથી 18 બસ અમદાવાદમાં આવી ગઈ છે જ્યારે બાકીની 32 બસ પણ ટુંક સમયમાં આવી જશે. મનપા દ્વ્રારા ટાટા મોર્ટસને 300 બસનો ઓર્ડર આપવામાં આવ્યો છે' -મ્યુ. કમિશનર, અમદાવાદ
બસમાં થયો છે બેટરી સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ
સ્વેપ ટેકનોલોજી ધરાવતી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિલો મીટર જેટલી મુસાફરી કરી શકાય છે. અમદાવાદમાં કુલ 50 ઈલેક્ટ્રિક બસને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ તમામ બસો 50 મુસાફરોની ક્ષમતા વાળી એસી બસ છે. આ બસને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું પણ અટકશે.
સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ
બસમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે. સાથે જ ઓટોમેટિક ડોર સેન્સરને કારણે બસના દરવાજા ખુલ્લા હોવાની સ્થિતિમાં બસ ચાલી શકશે નહીં.