એમીનેટ રેસ્ટોરન્ટ અને ઉમિયા ડેરી વસ્ત્રાલનું પનીર અપ્રમાણિત
ગુજરાતમાં ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેલના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ખાસ કરીને અમદાવાદ આ માટે એપી સેન્ટર છે ક્યાંક પાણીપુરીના પાણીમાં મકોડા તરી રહ્યા છે તો ક્યાંક પનીરમાં ભેળસેળ. આમ જ ખાણીપીણીની વસ્તુમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.
અમદાવાદની આ ડેરીનું પનીર અપ્રમાણિત
અમદાવાદમાં પાણી પુરી બાદ પનીરના સેમ્પલ પણ ફેઇલ મળી આવ્યા છે. એમીનેટ રેસ્ટોરન્ટ અને ઉમિયા ડેરી વસ્ત્રાલમાં મનપાના અધિકારીઑ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેના પર ફૂડ વિભાગની લેબમાં ચેકિંગ થયું હતું જે બાદ આજે આવેલા પરિણામો ચોંકાવનારા હતા. એમીનેટ રેસ્ટોરન્ટ અને ઉમિયા ડેરી વસ્ત્રાલનું પનીર અપ્રમાણિત નીકળ્યું હતું એટલે કે -પનીર બિલકુલ ખાવાલાયક ન હતું અને તેનું ધૂમ વેચાણ ચાલી રહ્યું હતું. વધુ તપાસમાં કેળા વેફર અને નમકીનના નમૂના પણ ફેઇલ નીકળ્યા હતા. છેલ્લા અઠવાડીયામાં મનપા દ્વારા જુદી જુદી જગ્યાએથી 45 નમુના લીધા હતા. જેમાંથી 8 નમુના ખાધ્યવિભાગના ચેકિંગમાં નાપાસ થયા હતા. આ વાત પરથી એ વાત સ્પષ્ટ થાય છે. અમદાવાદમાં જો ફૂડ વિભાગ દ્વારા દરેક જગ્યાએ ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો સારા સારા રેસ્ટોરન્ટ અને ડેરીમાં ચાલતા મિલીભગતના વેપલાને ઉઘાડા પાડી શકાય. પણ તહેવાર ટાણે સક્રિય થતું આપણું ફૂડ વિભાગ 24 કલાક જો સતર્ક રહે તો જ આપણને ચૂકવેલી મસમોટી કિમતમાં ખાય એવો ખોરાક મળે. અને સામે લોકોએ પણ ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળને અટકાવવા સારો ઓપ્શન પસંદ કરવાની જરૂર છે. અને જરૂર જણાય તો ફરિયાદ કરવાની પણ તસ્દી લેવી જરૂરી છે.
અમદાવાદમાં કરાયો હતો સેમ્પલ સર્વે, પરીણામ જાણી ચોંકી જશો
અમદાવાદના ખૂણે-ખાંચરે પાણીપુરીના ખુમચાવાળાઓ ઉભા હોય છે.અને ગૃહિણીઓના ટોળા લહેજતથી પાણીપુરી આરોગવાના દૃશ્યો હવે સરળતાથી જોઈ શકાય છે. એક તો કોરોનાનો ભય ઓસરી ગયો છે,બીજું તહેવારોમાં ખરીદી કરવા સાથે થોલું હળવું આરોગવાની માનસિકતા પણ હોય શકે. પરંતુ,આ લહેજત પાછળથી તમને બીમાર પણ પાડી શકે છે.અમદાવાદ મહા નગરપાલિકાએ છેલ્લા બે મહિનામાં એક સેમ્પલ સર્વે કર્યો. આ સર્વેમાં મહાપાલિકાએ જુદી-જુદી વસ્તુઓના મળીને લગભગ 460 સેમ્પલ્સ એકત્રિત કર્યા. જેમાંથી 421ના પરિણામ મળ્યા હતા. આ પરિણામમાં જે તથ્ય સામે આવ્યું એ પણ ચોકાવનારું હતું. 421 સેમ્પ્લમાંથી 10 તો મિસ બ્રાંડ આવ્યા .જ્યારે પાંચને અસુરક્ષિત જાહેર કર્યા છે. આ પાંચમાં 3 નમૂના પાણીપુરીના છે. સેટેલાઈટ વિસ્તારમા જગદીશ શાહ પકોડી સેન્ટર તેમજ નવરંગપુરાની આર કીશનની પાણીપુરીનુ પાણી પ્રદુષિત એટલેકે બેક્ટેરિયા વાળું હતું.તો પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા ભાવનાબહેનનની પાણીપુરીની ચટણીમાં કલર હતો