અમદાવાદ શહેરનમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે દિવસે વધતો જાય છે. જ્યારે વધુ એક હત્યાનો બનાવ મેઘાણીનગરમાંથી સામે આવ્યો છે. અહીં બુટલેગર અને તેના સાગરીતોએ ઘરમાં ઘૂસીને તોડફોડ સહીત એક 20 દિવસની બાળકીની હત્યા કરતા ચકચાર મચી છે.
સમગ્ર ઘટના વિશે જણાવીએ તો, મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે બુટલેગરોએ આતંક મચાવ્યો હતો. નશાની હાલતમાં ઘરમાં ઘૂસીને શખ્સોએ પરિવારની મહિલાઓ પર હુમલો કર્યો હતો, જેમાં 20 દિવસની એક બાળકીનો ભોગ લેવાયો છે.
મળતી માહિતી મુજબ, કુખ્યાત બુટલેગર સતીશ પટણી અને તેના સાગરીત ગોપાલ પટણી, દિપક પટણી, હિતેશ મારવાડી અને લખન ઠાકોરે ઘરમાં ઘુસી મહિલાઓને માર માર્યો હતો. જેમાં બાળકીને માથામાં ધોકો મારતા બાળકીને ભારે ઈજા પહોચી હતી. ઈજાગ્રસ્ત બાળકીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું છે. બાળકીના મોતથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકો પોલીસસ્ટેશને પહોચ્યા હતાં.