અમદાવાદના હાથીજણના DPS સ્કૂલના વિવાદને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. DPS સ્કૂલના સંચાલક મંજૂલા શ્રોફને હજુ સુધી પોલીસ પકડી શકી નથી. આગોતરા જામીનની અરજી રદ થયા બાદ પણ મંજૂલા શ્રોફ ફરાર છે. કોર્ટે આગોતરા જામીન રદ કર્યા બાદ પણ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનું સામે આવ્યુ છે.
DPSના વિવાદનો મામલો
મંજૂલાની ક્યારે થશે ધરપકડ?
આગોતરા જામીન થયા છે રદ, પોલીસ પર ઉઠ્યા પ્રશ્નો
મંજૂલા શ્રોફની ધરપકડ ન થતાં પોલીસ પર ઉઠ્યા અનેક પ્રશ્નો
પોલીસની ઢીલી કામગીરીને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. નિત્યાનંદના આશ્રમના વિવાદ બાદ તપાસ થતા DPS સ્કૂલનો મામલો સામે આવ્યો. બેરોકટોક સ્કૂલની જમીનમાં આશ્રમ ચાલી રહ્યો હતો. સમગ્ર મામલે તપાસ કરતા આશ્રમ સ્કૂલની જમીનમાં ચાલતો હોવાનું સામે આવ્યું. શા માટે પોલીસ વગ ધરાવતા મંજૂલા શ્રોફને હજુ સુધી પકડી શકી નથી તે પણ એક પ્રશ્ન છે. સ્કૂલના સંચાલક હોવા છતાં તેઓ પોલીસને સહકાર ન આપતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે અન્ય પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું પોલીસને કોઈ રાજકીય દબાણ છે? તેઓ શા માટે સ્કૂલના સંચાલક સામે કાર્યવાહી કરી રહ્યા નથી.
આ પ્રશ્નોને લઈને કાર્યવાહી થતી નથી
પોલીસની ઢીલીનીતિના પાછળનું જવાબદાર કોણ છે? IAS અધિકારી મંજૂલા શ્રોફની મદદ કરી છે? મંજૂલાની મદદ કરનાર અધિકારી સામે પોલીસ કાર્યવાહી કરશે? શું પોલીસને DPS સામે કાર્યવાહી કરવામાં રસ નથી? મંજુલા શ્રોફ કેમ પોલીસને નથી આપતા સહકાર? આવા અનેક પ્રશ્નો હાલમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે. પોલીસે કાર્યવાહી ન કરતાં તેમની પર દબાણ સર્જાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સરકારી તંત્રને અંધારામાં રાખીને રાતના અંધારામાં સ્કૂલમાં આશ્રમ ચલાવવામાં આવી રહ્યો હતો.