અમદાવાદઃ જિલ્લા પંચાયતમાં જીત મેળવવા માટે ભાજપ કોંગ્રેસ દ્વારા જોડતોડની રાજનીતિ કરવામાં આવી રહી છે. જેના કારણે કોંગ્રેસના 18 સભ્યોમાંથી 17 સભ્યોને રાજસ્થાન મોકલવામાં આવ્યા છે.
મહત્વનુ છે કે અમદાવાદમાં જિલ્લા પંચાયતમાં ભાજપના 16 સભ્યો છે અને હાલમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા છે. ત્યારે હવે 20 જૂનના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.
ત્યારે હવે આ ચૂંટણીમાં જીત મેળવવા માટે બન્ને પક્ષો દ્વારા જીત મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિ.પં.ના અઢી વર્ષની બીજી ટર્મ માટેના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 20 જૂનના રોજ થશે. ત્યારે કોંગ્રેસે સત્તા જાળવી રાખવા પોતાના ૧૮ સભ્યોને અકબંધ રાખવા સભ્યોને રાજસ્થાન મોકલવામાં આવ્યા છે.
તો બીજી તરફ ૧૫ સભ્યો ધરાવતા ભાજપે સત્તા મેળવવા માટે તોડજોડ થવાના એંધાણ જણાઇ રહ્યા છે. ત્યારે આ ચૂંટણી રસાકસીભરી હોઇ શકે છે.