અમદાવાદ નજીક સરખેજ પાસે ભારે વાહનની અડફેટે દીપડાનું અકસ્માતે મૃત્યુ થયું
સરખેજ ઉજાલા સર્કલ નજીક દીપડાનું અકસ્માતે મૃત્યુ
ભારે વાહનની અડફેટે દીપડાનું અકસ્માતે મૃત્યુ થયુ
ઉજાલા સર્કલ નજીક દીપડો દેખાલા લોકોમાં કુતુહલ
અમદાવાદ નજીક સરખેજ ઉજાલા સર્કલ પાસે ભારે વાહનની અડફેટે દીપડાનું અકસ્માતે મૃત્યું થયું છે. જો કે શહેરના ઉજાલા સર્કલ નજીક દીપડો દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.
દીપડાને લઇને વાયુવેગે સમાચાર પહોંચતા થવા લાગ્યા તેમ-તેમ લોકોના ટોળે-ટોળે મૃત દીપડાને જોવા ઉમટવા લાગ્યા હતા. જો કે આ અંગેની વનવિભાગને જાણકારી થતાં ટીમે દીપડાના આવવા અંગે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સરખેજ નજીક રવિવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મૃત્યું થયું. જો કે મોડી રાત્રે રસ્તા પર દીપડાનું અકસ્માતમાં મૃત્યું થયું હોવાના લઇને વાહનચાલકોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું.
જો કે આ સરખેજ પાસે કોઇ ભારે વાહનની અડફેટે દીપડાનું મોત નિપજ્યું હોવાને લઇને પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે. હાલ 15 દિવસ અગાઉ જ અમદાવાદના વસ્ત્રાલ પાસે દીપડો દેખાયો હોવા અંગેના અહેવાલો પ્રાપ્ત થયા હતા.
શહેરના રામોલ નાયક મંદિર નજીક દિપડો દેખાયાથી દહેશત થઇ હતી
જંગલો બાદ હવે દીપડાની દહેશત શહેરો સુધી પહોંચી છે. થોડા સમય પહેલા રાજકોટ બાદ હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ દેખા દીધા હતા. જેમાં શહેરના રામોલ વિસ્તારના રાહુલ નાયક મંદિર પરિસરમાં દીપડો દેખાયાની ચર્ચાએ વેગ પકડયું હતું. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. માત્ર એટલું જ નહીં, ગામના લોકોને ખુલ્લાંમાં નહિ સુવા અને સાવચેત રહેવા ફોરેસ્ટ વિભાગે સૂચના પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગાંધીનગરના નવા સચિવાલય સંકુલમાં દીપડો ગેટ નંબર 7 થી ઘુસ્યો હોવાના અહેવાલ સામે આવતા વન વિભાગ તથા સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થયું હતું. વનવિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં CCTVમાં જાણવા મળ્યું હતું કે દીપડો મોડી રાતે સચિવાલયમાં ઘૂસ્યો હતો.