દેશમાં હવે કોઈપણ ડાયાબિટીસના દર્દીએ પગ નહીં કપાવવો પડે.કારણ કે, આપણા ગુજરાતના બે ડોક્ટરોએ તેની પણ દવા શોધી કાઢી છે.અને આ દવા ગોળીઓ નહીં પરંતુ મલમ છે. જે કોઈપણ દર્દીના પગમાં વાગેલા ઘાને 30 દિવસમાં જ મટાડી દેશે.અને દર્દીનો પગ નહીં કાપવો પડે
પ્રાણીઓ પર મલમના ટ્રાયલમાં મળી સફળતા
હાલના સમયમાં ગુજરાતમા ડાયાબિટીસના કેસ સતત વધતા જઈ રહ્યા છે. અને દર 5 ઘરમાંથી એકમાં કોઈ એક વ્યક્તિ ડાયાબિટીસનું દર્દી હોય છે. પરંતુ કેટલાક કિસ્સામાં એવું થાય છે કે, ડાયાબિટીસ વધી જતાં. દર્દીને પગની તકલીફો થાય છે. અને ઘા વાગી જતાં. દર્દીના પગનો અંગૂઠો, આંગળીઓ, તેમજ પગ કપાવવાનો વારો આવે છે. જે અત્યંત ખર્ચાળ હોવાની સાથે લાંબા સમય સુધી હોસ્પિટલમાં પણ રહેવું પડે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓના ઘા ઝડપથી રુઝાય એ દિવસો પણ હવે બહુ દૂર નથી.કારણ કે, અમદાવાદના બે વૈજ્ઞાનિક સંજય ભગત અને વિશાલ જોશીએ સૌપ્રથમવાર એક એવા મલમનું સંશોધન કર્યું છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
અમદાવાદના 2 વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો મલમ
મહત્વનું છે કે, આ સંશોધન હાલ અમદવાદના નવરંગ પુરા ખાતે આવેલી LM ફાર્મસી કોલેજ ખાતે હાથ ધરવામાં આવ્યું છે. . આ મલમ તૈયાર કરવા માટે દર્દીના શરીરમાંથી 20 એમએલ બ્લડ લેવામાં આવશે. બ્લડનું લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવશે.અને ત્યાર બાદ બ્લડ સેલ શોધી જેલનું સ્વરૂપ અપાશે. અને 6 દિવસમાં બ્લડ સેલની જેલ તરીકે પ્રોસેસ થશે. આમ ડાયાબિટીસના દર્દીને વાઘેલા ઘાની સાવરા કરવામાં આવશે.
50 લાખથી વધુ ગુજરાતીઓને ડાયાબિટીસ
સામાન્ય રીતે જ્યારે કોઈ ડાયાબિટિક વ્યક્તિને સામાન્ય ઇજા થાય ત્યારે લોહી નીકળવું મોટી અને ગંભીર ચિંતાનું કારણ બને છે. સમય જતાં જો ઇજા થયેલા હિસ્સાનો ઘા ન ભરાય તો કેન્સ અથવા બ્લેક ફંગસ જેવી ગંભીર બીમારી શરૂ થાય છે. અને ત્યાર બાદ ઇજાગ્રસ્ત ભાગને કાપવાની જરૂર પડે છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓ માટે આ સંશોધન અતિ ઉપયોગી સાબિત થઇ શકે છે.અમદાવાદના વૈજ્ઞાનિકો દ્વાર જે સંશોધન કરવામાં આવ્યું છે. તે દેશભરમાં અંદાજે 8 કરોડ, જ્યારે ગુજરાતમાં અંદાજિત 50 લાખ ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક રૂપ બની શકે છે. હાલ તો પ્રાણીઓ પર તેના ટ્રાયલમાં સફળતા મળી છે. પરંતુ આગામી ટૂંક સમયમાં માનવીઓ પર પણ સફળતા મળવાની શક્યતા છે.