અમદાવાદ: આજે ધન તેરસના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ધન તેરસ નિમિતે ચોપડા પૂજન અને મહાલક્ષ્મીની પૂજાનું ખાસ મહત્વ છે. ધનતેરસના દિવસે લોકો પૂજા વિધિ અને ચોપડા પૂજન કરે છે.
તો રાજ્યમાં ધનતેરસને લઈને ખરીદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. દિવાળી પહેલા ખરીદી કરવા માટે બજારોમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. હાલ ધન તેરસને લઈને પણ લોકો દિવાળીની ખરીદી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને કુબેરની સાથે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે અને સાથે જ ધનતેરસથી દિવાળીના તહેવારની શરૂઆત થાય છે જે ભાઇબીજ સુધી ચાલે છે. ઘરમાં હંમેશા સુખ અને સમુદ્ઘિ બની રહે તે માટે ધનતેરસના દિવસે ખરીદી કરવામાં આવે છે. આ સાથે જ માં લક્ષ્મીની આરાધના પણ કરવામાં આવે છે.
આસો વદ તેરસના દિવસે આ પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને માં લક્ષ્મીની આરાધના તથા વેપારી લોકો દ્વારા ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે. આજના દિવસે આરોગ્યના દેવ ધનવંતરીની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે જેનું આયુર્વેદમાં વિશેષ મહાત્મય રહેલું છે.