રાજ્યમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ગંભીર બેદરકારીના કારણે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવા અકસ્માતોમાં બેદરકાર અને નિર્દોષ લોકોના પણ મોત થાય છે. તો કેટલાક અકસ્માતોમાં મોટા પ્રમાણમાં ઇજાઓ પણ પહોંચ છે. ત્યારે સોમવારે અમદાવાદ ધ્રાંગધ્રા હાઇવે પર અકસ્માતમાં બેના મોત થયા છે. જ્યારે નવસારીના ચીખલી નજીક સ્કૂલ પ્રવાસ બસને અકસ્માત નડતા 20 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી છે.
ધ્રાંગધ્રા હાઇ-વે પર અકસ્માત
ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત
અકસ્માતમાં બેનાં મોત
અમદાવાદ-ધ્રાંગધ્રા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટ્રેલર અને કાર વચ્ચે થયો હતો. અકસ્માત થતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. કચોલિયા ગામના પાટિયા પાસે આ અકસ્માત થયો હતો. કારમાં સવાર ત્રણમાંથી બેના મોત થયા છે જ્યારે એકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.
ચીખલી નજીક સ્કૂલ પ્રવાસ બસને નડ્યો અકસ્માત, 20 વિધાર્થીઓને નાની મોટી ઇજા
નવસારીના ચીખલી પાસે સ્કૂલ બસના અકસ્માતની ઘટના સામે આવી હતી. અંકલેશ્વરની અમૃતપુરા પ્રાથમિક શાળાના બાળકોમાં સાપુતારા પ્રવાસ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન બસને અકસ્માત નડ્યો હતો. રાણકુવાથી વાસંદા માર્ગ પાસે અકસ્માત થયો હતો. આ બસમાં 54 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. અકસ્માત થતા 20 જેટલા વિધાર્થીઓને નાની મોટી ઈજા થઈ હતી. તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનામાં વધુ ઈજાગ્રસ્ત બાળકોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.