ઢબુડી માં ઉર્ફે ધનજી ઓડનો પર્દાફાશ થયો છે. ત્યારે હવે અમદાવાદ પોલીસ તપાસ શરૂ કરી છે. પોલીસની એક ટીમ ધનજી ઓડના ચાંદખેડા નિવાસ સ્થાને પહોંચી હતી. ધનજી ઓડને નિવેદન આપવા માટે પોલીસે નોટિસ ફટકારી હતી. 11 માર્ચ 2016ના રોજ દીકરાનું કેન્સરથી મોત થતા પરિવારે ધનજી ઓડ સામે ફરિયાદ કરી છે.
પોલીસે ધનજી ઓડના ઘર બહાર લગાવી નોટિસ
આ મામલે પોલીસે ફરિયાદીનું નિવેદન પણ નોંધ્યું છે. 3 વર્ષ બાદ ફરિયાદ થતા પોલીસ તપાસ શરૂ કરી છે. મૃતકનું પીએમ ન થતા અને કેન્સરની બીમારીના પુરાવાને લઈને પોલીસે તપાસ હાથધરી છે. ધનજી ઓડ ભૂગર્ભમાં જતા પોલીસે નોટિસ પાઠવી હતી. આ પહેલા 2018માં રૂપાલ ગામના સરપંચ અને સ્થાનિકોએ મળીને પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
ધનજી ઓડનું વિદેશમાં બેંક એકાઉન્ટ
ઢબુડી માના નામે ભુવો બનીને અંધશ્રદ્ધા ફેલાવવા ગ્રામજનોએ પોલીસને અરજી કરી હતી. ગ્રામજનોએ ધનજી ઓડને ગામમાંથી કાઢીને પોલીસને જાણ કરી હતી. ત્યારે હવે ધનજી ઓડના નાટકનો પર્દાફાશ થયો છે. વિદેશમાં બેંક એકાઉન્ટ ધરાવતા ધનજી ઓડની મિલકતને લઈને તપાસ હાથ ધરાઈ છે. હાલમાં અમદાવાદ પોલીસ ધનજી ઓડના યુટ્યુબ એકાઉન્ટ અને સેવકોની તપાસ કરી રહી છે.
ઢબુડી માતાનું 'મન્નત' જેવું મકાન
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના રૂપાલમાં રહેતાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાનો અંધશ્રદ્ધા ફેલાવીને લાખો રૂપિયા લુટતાં હોવાનો પર્દાફાશ થયો છે. સોમવારનાં રોજ સવારથી જ ચર્ચામાં આવેલા ઢબુડી માતાના વીડિયો બાદ VTVની ટીમ જ્યારે અમદાવાદ ખાતે આવેલા ઢબુડી માતાના નિવાસ સ્થાને પહોંચી હતી ત્યારે શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલું વૈભવી મકાન જોઇને સૌ કોઇ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતાં.
કોણ છે આ અંધશ્રદ્ધા ફેલાવતી ઢબુડી માઁ ?
ગાંધીનગરના રૂપાલ ગામનો ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢી ઢબુડી મા બન્યો છે. જેના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. ધનજી ઓડનો દાવો છે કે તેના પર જોગણી માતાની કૃપા થઈ છે. ભક્તો તેને રૂપાલની જોગણી માતાના નામે ઓળખે છે. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ માથા પર ચૂંદડી ઓઢી ધૂણે છે. રૂપાલ સહિત રાજ્ય ભરના અનેક ગામોમાં તથા મુંબઈમાં અનેક કાર્યક્રમો કરી ચૂકી છે ઢબુડી મા.