વી.એસ. હોસ્પિટલમાં મહિલાના મૃતદેહની અદલા બદલી થઈ હતી. જેને લઈને પોલીસની એક ટીમ મિત્તલ જાદવના ગામે પહોંચી છે. મળતી માહિતી મુજબ VS હોસ્પિટલે મિત્તલ જાદવના બદલે નસરીન બાનો નામની મહિલાનો મૃતદેહ મિત્તલના પરિવારોને આપ્યો હતો
આથી મૃતદેહ મળતા મિત્તલના પરિવારોએ મૃતદેહ જોયા વગર જ તેની દફનવિધિ કરી હતી. જો કે નસરીન બાનોના પરિવારને મૃતદેહ ખોટો હોવાની જાણ થતાં તેમણે VS હોસ્પિટલમાં જ હોબાળો મચાવ્યો હતો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2019
આથી પોલીસ મિત્તલ જાદવના ગામે પહોંચી છે. અને પરિવારની પૂછપરછની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ જે મૃતદેહની દફનવિધિ કરવામાં આવી છે. તે મૃતદેહ બહાર કાઢવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે.
અમિત ચાવડાનું નિવેદન
વી.એસ. હોસ્પિટલમાં મૃતદેહની અદલ બદલ થવા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ચાવડાએ જણાવ્યું કે, ભાજપના રાજમાં આજે કોઈ સલામત નથી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2019
વીએસ હોસ્પિટલના કોલ્ડ સ્ટ્રોરેજ મૃતદેહ ગાયબ થવો એ દુખદ બાબત છે. આ મામલે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થાય છે. કોગ્રેસ પક્ષની માગ છે કે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે અને આકરા પગલા ભરવામાં આવે.