અમદાવાદમાં વહુએ ઘરકંકાસથી કંટાળીને સાસુની ઘાતકી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. લગ્નને માંડ 10 મહિના થયા છે ત્યારો તો નવવધુએ સાસુનો જીવ લઈ લીધો હોવાનો જઘન્ય કિસ્સો સામે આવતા ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ત્યારે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
સાસુની હત્યા કેસમાં નવો વળાંક
સસરા-પુત્રવધુના હતા આડાસંબંધ
સાસુએ પુત્રવધુ પર કર્યા હતા આક્ષેપ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, સસરા અને પુત્રવધુ વચ્ચે આડાસંબંધ હોવાથી ઘરમાં છેલ્લા કેટલાક સમયગાળાથી માથાકૂટ ચાલતી હતી અને પુત્રવધુને એક માસનો ગર્ભ પણ હતો. ત્યારે સસરાથી ગર્ભવતી થઈ હોવાનો સાસુએ આક્ષેપ કર્યો હોવાની વાત પણ ચર્ચાઇ રહી છે. આ આક્ષેપથી ઉશ્કેરાઈને પુત્રવધુએ સાસુને સળિયાના ફટકા મારી હત્યા કરી હતી. આમ હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
આરોપી પુત્રવધુના મોબાઈલમાં સસરાનો હતો છેલ્લો મેસેજ
મોબાઈલમાં 24 ઓક્ટો.એ મેસેજ હતો જેમાં સસરા રામનિવાસે લખ્યું હતું, ‘તુ અભી દીપક સે દૂર રહેના.’ નોંધનીય છે કે, સસરાને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી હાલ તે હોસ્પિટલમાં દાખલ છે.
સાસુની હત્યા બાદ પુત્રવધૂએ દોઢ કલાક ડ્રામા કર્યો
હત્યા બાદ પુત્રવધૂએ દોઢ કલાક ડ્રામા કર્યાં હતો. સાસુએ રૂમમાં પુરી દીધી હોવાનું કહીને લાંબા સમય સુધી દરવાજો ખોલ્યો ન હતો. પતિ અન્ય રસ્તેથી ઘર પ્રવેશ કરતા માતાની લોહીલુહાણ લાશ મળી હતી. આટલું જ નહીં પત્રવધૂએ સાસુની હત્યા કર્યાં બાદ પુરાવવા મટાડવા માટે સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઉગ્ર ઝઘડા બાદ પુત્રવધૂએ લોખંડના પાઇપ વડે સાસુના માર માર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પુત્રવધૂ ધરપકડ કર્યાં બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી કલાકોમાં જ પુત્રવધુની અટકાયત કરી લીધી હતી. આ ઘટનામાં ભોગ બનનાર મૃતક રેખાબેન અગ્રવાલને પુત્રવધૂએ ઘરના ઝઘડામાં આવેશમાં આવી જઈને માથામાં લોખંડનો રોડ માર્યો હતો, ત્યારબાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી પુત્રવધુ નિકીતા અગ્રવાલની સોલા પોલીસે પુછપરછ હાથ ધરી હતી. તેમાં પ્રાથમિક પુછપરછમાં લગ્નને 10 મહિના થયા છે અને ઘરમેળના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના બની હોવાની માહિતી મળી રહી છે.