અમદાવાદઃ બોપલ એલસીબી કચેરીમાં 2.5 કરોડની ચોરીના આરોપી સુરુભા ઝાલાને પોલીસે પકડ્યા બાદ તેનું પોલીસ સ્ટેશનમાં કોસ્ટડીયલ ડેથ થયુ હતુ. તે બાબતે પરિવારજનોએ એલસીબી પર આક્ષેપ કર્યો હતો કે સુરુભા ઝાલાને પોલીસે માર મારી ઈલેક્ટ્રીક શોક આપી તેનું મોત નિપજાવ્યું છે.
આ અંગે બોપલ એલસીબી વિરુધ્ધ પરિવારજનો દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બોપલ પોલીસે ફરિયાદ નોંધી મેડીકલ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ થવાનું સાચું કારણ જાણવા બોપલ પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
મહત્વનું છે કે રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના મામલાઓ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં બનેલી ઘટનાને લઇને ખળભળાટ મચી જવા પામી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સુરૂભા સહિત ત્રણની અટકાયત કરવામાં આવી હતી.
આ ચારેય પર ચોરીની શંકાને લઇને અટકાયત કરાઇ હતી. ત્યારબાદ પોલીસ ક્ટોડિયલમાં સુરૂભાનું મોત નિપજ્યું હતું. જેને લઇને પરિવારજનોએ એલસીબી પર આક્ષેપ કર્યો હતો કે સુરૂભા ઝાલાને પોલીસે માર મારી મોત નિપજાવ્યું છે.