ગુજરાતમાં દિવાળી અને પેટાચૂંટણી બાદ કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે હાલ અમદાવાદમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. આજ રાતે 9 વાગ્યા થી સોમવાર સવાર સુધી 60 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
કર્ફ્યૂની જાહેરાત પણ અસ્પષ્ટતા
સમારોહ વિશે નથી કરાઇ સ્પષ્ટતા
ટ્રાન્સપોર્ટ સેવા મુદ્દે પણ કોઇ સ્પષ્ટતા નહીં
અમદાવાદમાં કર્ફ્યૂ નિર્ણયથી લોકો અસમંજસમાં મૂકાયા છે. લગ્નની સિઝન સમયે કર્ફ્યૂ લાગુ કરતા લોકો દ્વિધામાં મૂકાયા છે અને તેમને કંઈ સમજાતુ નથી. તંત્ર દ્વારા કરફ્યુ લાગૂ કરાયા બાદ નથી કરાઇ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
શું છે અસમંજસ
લગ્ન અને અન્ય સમારોહ અંગે નથી કરાઇ કોઇ સ્પષ્ટતા
અનેક લોકોએ લગ્ન માટે મુહૂર્ત કઢાવી રાખ્યા છે
રવિવારે અમદાવાદમાં CAની પરીક્ષાનું પણ આયોજન
અમદાવાદમાં કરફ્યુ વચ્ચે પરીક્ષાના આયોજન કેવી રીતે થશે?
ટ્રાન્સપોર્ટેશનને લઇને પણ નથી કરાઇ કોઇ સ્પષ્ટતા
રાત્રી સેવાઓ માટે પણ નથી કરાઇ સ્પષ્ટતા
બહારથી આવતા લોકો અંગે પણ કોઇ સ્પષ્ટતા નહી
અમદાવાદમાં બસ સેવા મુદ્દે પણ નથી કરાઇ કોઇ સ્પષ્ટતા