તિસ્તા સેતલવાડ ,સંજીવ કુમાર અને શ્રીકુમારે ઝાકીયા ઝાફરીનો ખોટી ફરિયાદ કરવા ઉપયોગ કર્યો હોવાની સરકારી વકીલની કોર્ટમાં રજૂઆત
તિસ્તા સેતલવાડ પર ગાળિયો કસાયો
રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં તિસ્તા સામે વધુ એક મોટો ખુલાસો
કોર્ટમાં ઝાકિયા ઝાફરીનો કરાયો ઉલ્લેખ
તિસ્તા સેતલવાડ અને આર.બી શ્રી કુમારના જામીન અરજીની સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં તિસ્તા સામે વધુ એક મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો.કોર્ટમાં ઝાકિયા ઝાફરીનો ઉલ્લેખ કરી સરકારી વકીલે કહ્યું હતું કે તિસ્તા સેતલવાડ,સંજીવ કુમાર અને શ્રીકુમારે ઝાકીયા ઝાફરીનો ઉપયોગ કર્યો છે. ખોટી ફરિયાદો સરકાર વિરુદ્ધ કરવા ઝાકિયાને તિસ્તા સહિતના બે આરોપીએ કહ્યું હતું. જે બાદ પ્લાન મુજબ ઝાકિયા દ્વારા ગુજરાતના તત્કાલિન CM અને રાજકીય નેતાઓ સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મિલિટરી આવવા માંગતી હતી પરંતુ સરકારે મિલેટરીને રોકી હતી જે બાદ સમાધાન કરવા અમને BJP ઓફીસે ઝાકિયાને બોલાવ્યા હતા. પરંતુ ઝાકિયા FIR ન થાય ત્યાં સુધી ગઈ નહીં. આ તમામ ખોટી ફરિયાદ નોંધવા તિસ્તાએ ઝાકીયાનો ઉપયોગ કર્યો હોવાનો દાવો સરકારી વકીલે કોર્ટમાં કર્યો હતો. તિસ્તા સેતલવાડની જામીન અરજી પર અમદાવાદ કોર્ટમાં આવતીકાલે 3:30 વાગ્યે સુનાવણી થશે.
SIT તપાસમાં શું શું ખૂલ્યું?
આ પહેલા પણ તિસ્તા સેતલવાડ કેસની તપાસ કરતી SITની તપાસમાં મોટા ખૂલાસા થયા હતા. 18 જુલાઇ SITએ સોંપેલા રિપોર્ટમાં કેસના તાણાવાણા પરથી પડદો ઉઠ્યો હતો. જે મુજબ તત્કાલીન CMને બદનામ કરવાામાં પૂર્વ IPSની મહત્વની ભૂમીકા હોવાનું ખૂલ્યું હતું. નોંધનિય છે કે, સંજીવ ભટ્ટે તત્કાલીન CM સાથે મિટીંગમા હોવાનો ખોટો દાવો કર્યો હતો. સંજીવ ભટ્ટે કોર્ટમા ખોટુ સોંગદનામુ કર્યુ હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે રમખાણો વખતે બોલાવેલી બેઠકમા સંજીવ ભટ્ટ ન હોવાનો ખુલાસો પણ થયો હતો. આ તરફ હવે SIT દ્વારા તત્કાલીન ડિજીપી, તે વખતના આઇબી ડિજીપીના નિવેદન નોંધવામાં આવશે.
અગાઉ પણ થયો હતો મોટો ખુલાસો
ગુજરાતના રમખાણોને લઇ SITએ પોતાના રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો હતો. પોલીસે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ સાથે SITએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકાર ભંગ કરવા માટે તીસ્તા મોટા ષડયંત્રમાં સામેલ હતી. સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે, સેતલવાડ 2002ના રમખાણો બાદ ભાજપ સરકારનો ભંગ કરવા દિવંગત કોંગ્રેસ નેતા એહમદ પટેલના ઈશારા પર કરવામાં આવેલા મોટા ષડયંત્રમાં સામેલ હતી. ભાજપની સરકાર ભંગ કરવા માટે આરોપીઓએ કોંગ્રેસ સાથે અનેક બેઠકો પણ કરી અને એહમદ પટેલ પાસેથી રૂપિયા મેળવ્યા હતા.
નરેન્દ્ર મોદીને બદનામ કરવા સંજીવ ભટ્ટની મહત્વની ભૂમિકા
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવામાં સંજીવ ભટ્ટની મહત્વની ભૂમિકા હોવાનો તિસ્તા સેતલવાડ કેસમાં SITની તપાસમાં ખુલાસો થયો હતો. આ અગાઉ સંજીવ ભટ્ટે તત્કાલીન CM સાથે મિટીંગમા હોવાનો ખોટો દાવો કર્યો હતો. જોકે બાદમાં રમખાણો વખતે બોલાવેલી બેઠકમા સંજીવ ભટ્ટ ન હોવાનો પણ ખુલાસો થયો હતો
SIT હવે તત્કાલીન અધિકારીઓના નિવેદન નોંધશે
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવામાં સંજીવ ભટ્ટની મહત્વની ભૂમિકા હોવાનો ખુલાસો થયો છે. જે બાદમાં હવે SIT દ્વારા તત્કાલીન ડિજીપી તે વખતના આઇબી ડિજીપીના નિવેદન નોંધશે. આ સાથે તે વખતના એસીએસ હોમ સહિતના અધિકારીઓના નિવેદન નોંધશે. નોંધનિય છે કે, SIT દ્વારા સંજીવ ભટ્ટના ખોટા સોંગદનામા સામે તમામ અધિકારીઓના નિવેદન નોંધાશે.