વિરાટનગરમાં 4 લોકોની હત્યા મામલે વિનોદ મરાઠી શંકાના દાયરામાં, અગાઉ પણ સાસુ પર છરી વડે હુમલો કર્યો હોવાનુ આવ્યુ સામે
વિરાટનગરમાં 4 લોકોની હત્યાનો મામલો
ક્રાઇમબ્રાંચ સહિત કુલ 7 ટીમ તપાસમાં જોતરાઇ
વિરાટ મરાઠી મહારાષ્ટ્રનો વતની
અમદાવાદમાં ગુનાખોરી, હત્યા અને લૂંટના પ્રયાસો વધી રહ્યા છે. ત્યારે શહેરના વિરાટનગરમાં પરિવારના જ 4 વ્યક્તિઓની ઘાતકી હત્યા મામલે ક્રાઇમબ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વિનોદ મરાઠી નામના શખ્સનો શોધખોળ હાથ ધરાવામાં આવી છે. પોલીસે વિનોદ મરાઠી પર હત્યાની શંકા વ્યક્ત કરી છે.આરોપી ટેમ્પો ચાલક હતો. હત્યા પાછળ આર્થિક સંકડામણ, ઘરકંકાસ કારણભૂત હોવાનું અનુમાન છે.
મહત્વનુ છે કે ઓઢવના વિરાટનગર વિસ્તારના દિવ્ય પ્રભા મકાન નંબર 30માંવૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાની ઘાતકી હત્યા થઇ હતી.
કુલ 7 ટીમ દ્વારા તપાસનો ધમધમાટ
હાલમાં FSL અને ડૉગ સ્કવોર્ડ સહિત સાત જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી છે. સોનલ, પ્રગતિ, ગણેશ અને સુભદ્રાબેન આ ચારેય લોકોની હત્યા કરીને ઘરનો મોભી બહારથી તાળુ મારીને ફરાર થઇ ગયો હતો. વિનોદ મરાઠી નામનો શખ્સ ઘરથી બહાર લોક મારીને ફરાર થઇ જતા તેની પર શંકા ઉપજી છે. જમાઇ અને વડ સાસુ વચ્ચે ઝઘડો થયો હોવાનું પણ કારણ જાણવા મળ્યુ છે. અગાઉ પણ આરોપી દ્વારા છરી વડે હુમલો કર્યો હતો પરંતુ પારિવારિક ઝઘડાને કારણે પોલીસ ફરિયાદ થઇ ન હતી. વિનોદ મરાઠી મહારાષ્ટ્ર કે સુરત ફરાર થયો હોવાની શક્યતાને પગલે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને આ અંગે જાણ કરતા હત્યાનો પર્દાફાશ થયો હતો.
નવો ઘટસ્ફોટ
હત્યા મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે સાંજે 7થી9 વાગે હત્યાની અંજામ આપ્યો હોવાની પ્રબળ શક્યતા છે. ઘટનાના દિવસે ઘરે સોનલે માતા અને દાદીને જમવા બોલાવ્યા હતા. દાદી પહેલા આવી ગયા બાદમાં સોનલની માતા આવ્યા હતા. આ દરમિયાન બોલાચાલી થતા સાસુ પર વિનોદે હુમલો કર્યો હતો. વિનોદની સાસુ પડી જતી ઇજા થઇ હોવાનું અનુમાન છે. હુમલા બાદ ફરાર વિનોદે વતનમાં પરિવારનો સંપર્ક કર્યો હતો. વિનોદે થોડા દિવસ પહેલા જ મકાન વેચ્યું હોવાનું આવ્યું સામે આવ્યું છે. મહત્વનુ છે કે 15 દિવસથી પરિવાર નિકોલથી ઓઢવમાં આ પરિવાર રહેવા આવ્યો હતો જેથી શંકા એ પણ છે કે અગાઉથી જ હત્યાનું ષડયંત્ર ગોઠવવામાં આવ્યુ હોઇ શકે.
વિનોદ મહારાષ્ટ્રનો વતની
અમદાવાદના વિરાટનગરમાં 4 લોકોની હત્યાનો મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જોતરાઇ છે. તપાસમાં એવુ પણ સામે આવ્યુ છે કે અગાઉ પણ જમાઇએ સાસુ પર હુમલો કર્યો હતો પરંતુ દીકરીનું ઘર બચાવવા સાસુએ હુમલાની વાત છૂપાવી હતી. પત્ની પર શંકા અને આર્થિક સંકળામણને કારણે ઝઘડા થતા હતા. વિનોદ મહારાષ્ટ્રમા બુરહાનપુરનો વતની છે. પોલીસ દ્વારા આરોપીના વતન સહિત અલગ અલગ સ્થળે શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.