અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા 8 PSIની બદલી કરવાના આદેશ પારિત કરવામા આવ્યા છે.
અમદાવાદ CPએ 8 PSIની બદલીના આપ્યા આદેશ
વહીવટી કારણોસર બદલીના આદેશ
વિધાનસભા ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરોમાં બદલીનો ગંજીફો ચીપાયો છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે બદલીના આદેશ કર્યા છે. જેમાં 8 PSI નું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ વહીવટી કારણોસર આ બદલી થઈ છે. સેટેલાઈ પોલીસ સ્ટેશનના PsI કે.ડી.રવિયાને સરખેજ મૂકવામાં આવ્યા છે.
મહત્વનું છે કે S B ચૌધરીને દરિયાપૂર, એ બી ચૌધરી EWO, દિવ્યાંગ ડાહ્યાભાઇ સોલંકીને EWO, કે.ડી.રવિયાને સરખેજ, કે ડી જાદવને પાલડી, શાહીનબાનું શેખને વેજલપુર, એ આર બાથમને સરખેજ, અને જેબી પરમારની વેજલપુર બદલી કરવામાં આવી છે.