ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારીની કેન્દ્રમાં નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર એ.કે. સિંહની કેન્દ્રમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડના ડાયરેક્ટર ઓફ જનરલ તરીકે બદલી થઈ છે. એકે સિંહ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર તરીકે એક સ્વચ્છ છબી ધરાવતા પોલીસ અધિકારી છે. અમદાવાદમાં તેમને ટ્રાફિક મુક્ત કરવા, સ્વચ્છતા રાખવા અને મહિલા સુરક્ષા અને શહેરની સુરક્ષાને લઈ મહત્વનો ફાળો આપ્યો છે.
અમદાવાદ પોલીસ કમિશનરના પદ પર અજય કુમાર તોમરની થઇ શકે છે નિમણૂંક
મહત્વની વાત એ છે કે, એકે સિંહ સપ્ટેમ્બર 2020માં નિવૃત થવાના છે, તે પહેલા તેમની દેશની મહત્વની ગણવામાં આવતી સુરક્ષા એજન્સીમાં ડીજી તરીકે નિમણૂંક થઈ છે.
એનએસજી એટલે નેશનનલ સિક્યોરિટી ગાર્ડ. જે એ.કે. સિંહ ગુજરાત કેડરના 1985ની બેચના IPS અધિકારી છે. અમદાવાદ શહેરને સ્વચ્છ, અને ટ્રાફિક મુક્ત કરવામાં તેમનો મોટો ફાળો રહેલો છે.
તમને જણાવી દઈએ કે, એ.કે. સિંહની 30 સપ્ટેમ્બર 2020 સુધી એટલે કે, તેઓ નિવૃત થાય ત્યાં સુધી એનએસજીની ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય કેન્દ્ર સરકારમાં પણ કામ કરવાનો તેમને મોટો અનુભવ છે. અમદાવાદના કમિશ્નર તરીકે ફરજ નિભાવ્યા પહેલા તેઓ SPG ગ્રુપના DIG તરીકે પણ કામ કરી ચુક્યા છે.
છેલ્લા કેટલાક સમયથી DG રેન્કના IPS અને અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંહને ડેપ્યુટેશન પર મોકલવાની ચર્ચાઓ ચાલતી હતી. સિનિયર IPS અને 1985ની બેચના એ.કે સિંહ આગામી વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે. હાલના ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા પછી સૌથી સીનિયર મોસ્ટ આઇપીએસ તરીકે એ.કે. સિંહ આવતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર તેઓ ડીજી બનવા માટે એક મહિનો ઓછો પડતો હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને દિલ્હી ખાતે પ્રતિનિયુક્તીનો હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગુજરાત કેડરના કેટલાક IPD અધિકારીઓની કેન્દ્રમાં નિમણૂક કરવામાં આવી છે. જેમાં દિપાંકર ત્રિવેદીને સેન્ટ્રલવ આઈબીના ડીઆઈજી બનાવવામાં આવ્યા છે. આ સિવાય પ્રદિપ સેજુલ અને શોભા ભૂતડાને આઈબીના એસપી તરીકે, રાજવ રંજન ભગતને એસપીજીના આઈજીપી તરીકે, ગગનદીપ ગંભીરને સીબીઆઈ ડીઆઈજી તરીકે, રાઘવેન્દ્ર વત્સને સીબીઆઈ ડીઆઈજી તરીકે, અને એ.કે. શર્માને સીઆરપીએફના એડીડીજી તરીકે નિમણૂક આપવામાં આવી છે.