અમદાવાદમાં કોરોના હોસ્પિટલની સારવાર આપતી શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં મૃતકોના મરણના પ્રમાણપત્રમાં કોરોનાથી મોત લખતા પરિવારની મુશ્કેલીઓ વધી છે. એક તો સ્વજન ગુમાવ્યાનું દુખ અન કોરોનાથી મોતને કારણે વીમો પણ પાસ ન થઈ રહ્યો હોવાનું દુખ સામે આવ્યું છે. ઘણા ઘરના મોભ સમી વ્યક્તિઓ આ દૂર્ઘટનામાં મૃત્યુ પામી છે ત્યારે આવો જાણીએ શું છે સમગ્ર મામલો?
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડનો મામલો
ધોળકાના એક જ પરિવારના 2 લોકોના થયા હતા મૃત્યુ
મૃતકોના પરિવારજનનો જણાવી આપવીતી
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડના ઘા હજુ રૂઝાયા નથી. ત્યાં હોસ્પિટલે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને ઓન પેપર કોરોનાથી મૃત્યુ થયાનું લખાણ આપતા મૃતકોના પરિવારની ચિંતામાં વધારો થયો છે.
શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં ધોળકાના એક જ પરિવારના 2 લોકોના મૃત્યું થયા હતા. આ મૃતકોના પરિવારજનનો પોતાની આપવીતી જણાવી છે. સ્વજન ગુમાવ્યા બાદ મૃતકના પરિજનોની હાલત ખરાબ થઇ ગઇ છે. ઓન પેપર કોરોનાથી મૃત્યુ થયાનું લખાણ આપતા પરિવાર ચિંતામાં મુકાયો છે. ઇન્સ્યોરન્સના રૂપિયા ન મળતા પરિવાર ચિંતામાં મુકાયો છે. સમગ્ર મામલે પરિવારે મદદ માંગી છે..
સળગતા સવાલ
અગ્નિકાંડના ઘા રૂઝાયા નથી ત્યારે આ આપવીતી કોણ સમજશે?
હોસ્પિટલે કયા આધારે કાગળ ઉપર કોરોનાથી મૃત્યુનું લખાણ કર્યું?
અગ્નિકાંડ નજર સામે છે છતા ઢાંકપીછોડો?
પરિવાર પર બેવડો વજ્રઘાત થયો તેના માટે જવાબદાર કોણ?